Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતો માટે ખુશખબરી, સરકારે લોન્ચ કરી 'કિસાન સારથી', વધશે આવક અને મળશે ઘણા ફાયદા

Webdunia
શનિવાર, 17 જુલાઈ 2021 (16:46 IST)
દેશના ખેડૂતોની આવક વધારવા અને તેમની આર્થિક મદદ માટે સરકારની યોજનાઓ ચાલી રહી છે. આ ક્રમમાં સરકારે વધુ એક સકારાત્મક પગલું ભર્યું છે. ખેડૂત માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ 'કિસાન સારથી' ને લોન્ચ કરી છે. આ ડિજિટલ પ્લેટફોર્મ પર ખેડૂતોને પાક અને બાકી વસ્તુઓની જાણકારી આપવામાં આવશે. સાથે જ તેની મદદથી ખેડૂતોને પાક અને શાકભાજીઓને યોગ્ય રીતે વેચી પણ શકશે. 
 
ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી, નરેન્દ્ર સિંહ તોમારએ 'કિસાન સારથી' લોન્ચ કર્યું. વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા લોકોને કિસાન સારથીની જાણકારી આપવામાં આવી છે. આઇસીએઆરના 93મા ફાઉન્ડેશન ડે પર કિસાન સારથીને લોન્ચ કરી સરકારે ખેડૂતોને જોરદાર ભેટ આપી છે.  
 
આ સમય મોટાભાગના ખેડૂતો પરેશાન છે, એવા સમયમાં સરકારે ખેડૂત સારથીને લોન્ચ કરી છે. તેની મદદથી ખેડૂત સારો પાક, ઉપજની યોગ્ય રકમ અને ઘણી મૂળભૂત વસ્તુઓની જાણકારી પ્રાપ્ત કરી શકશે. ખેડૂત ડિજિટ્લા પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂત પાક સાથે સંકળાયેલી કોઇપણ જાણકારીસેધા વૈજ્ઞાનિકો પાસેથી લઇ શકે છે. સાથે ખેતી માટે નવી રતી પણ જાણી શકો છો. 
 
ખેડૂત કલ્યાણ મંત્રાલય, મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયને મજબૂત બનાવવા માટે અશ્વિની વૈષ્ણએ લોન્ચિંગના અવસર પર કહ્યું કે ઘણા મંત્રાલય મળીને ખેડૂતોની મદદ કરી રહ્યા છે. ખેડૂત સારથી પાસેથી મળેલી માહિતી અનુસાર ખેડૂત અને વેપારી સરળતાથી પાકની ખરીદી અને વેચાણ કરી શકશે. નરેન્દ્ર સિંહ તોમારે પણ કિસાન સારથીને ખેડૂતો માટે એક જરૂરી પ્લેટફોર્મ ગણાવ્યું.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments