Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્ર સરકાર કંડલામાં બનાવશે બે નવા પોર્ટ ટર્મિનલ

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (08:34 IST)
કેન્દ્ર સરકારે કચ્છના કંડલા ખાતે આવેલા દીનદયાલ પોર્ટ પર બે નવા પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની મંજૂરી આપી છે.
 
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કચ્છના ટુના ટેકરામાં અંદાજે રૂ. 5,963 કરોડના ખર્ચે બનનારા કંટેનર ટર્મિનલના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
 
આ પ્રસ્તાવિત કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી-પર્પઝ કાર્ગો બર્થને દીનદયાલ પોર્ટ ઑથોરિટી (જે અગાઉ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરીકે ઓળખાતી હતી) દ્વારા બીઓટી (બિલ્ડ-ઑપરેટ-ટ્રાન્સફર)ના ધોરણે વિકસાવવામાં આવશે.
 
આ ટર્મિનલ પર 14 થી 18 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા 6000 ટીઈયુસ (ટ્વેન્ટી - ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ) થી 21000 ટીઈયુસની ક્ષમતા ધરાવતા જહાજોનો સમાવેશ થઈ શકશે. આ ટર્મિનલનો અંદાજિત ખર્ચ રૂ. 4,243.64 કરોડ થશે અને તેની માલસામાન વહન કરવાની ક્ષમતા 2.19 મિલિયન ટીઈયુસ હશે. આ ટર્મિનલ પર કન્ટેનરના સંગ્રહ માટે 54.20 હેક્ટર્સનો વિસ્તાર પણ હશે.
 
આ ટર્મિનલનો ઉપયોગ અનાજ, ખાતર, કોલસો, ખનીજો, સ્ટીલ કાર્ગો જેવા વિવિધ પ્રકારના માલસામાન માટે કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments