Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઈ પ્રતિવર્ષ યોજાતો વરાણાનો મેળો સતત બીજા વર્ષે પણ નહીં યોજાય

વરાણાનો મેળો
Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (10:40 IST)
રાજ્યભર સહિત દેશમાં કોરોનાના હાહાકાર જોવા મળી રહ્યો છે. જેના પગલે રાત્રિ કરફ્યું જેવા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના ઘણા મોટા મંદિરો તેમજ મોટા આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક સ્થગિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આસ્થાનું પ્રતિક ગણાતા વરણા ખાતે આ વર્ષે મેળાનું આયોજન નહી થાય. 
 
વરાણા ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પ્રતિવર્ષ યોજાતો મેળો સતત બીજા વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ નિવારવા વરાણા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
 
સમી તાલુકાના વરાણા ખાતે લાખો શ્રદ્ધાળુઓના શ્રદ્ધાના કેન્દ્ર સમા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પ્રતિવર્ષ મહા સુદ બીજથી મહા સુદ પૂનમ સુધી ચાલનારો લોકમેળો યોજાય છે. 
 
ચાલુ વર્ષે કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ શ્રદ્ધાળુઓને સંક્રમણનું જોખમ ટાળવા વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આગામી તા.૦૨ ફેબ્રુઆરીથી તા.૧૬ ફેબ્રુઆરી સુધી મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments