Webdunia - Bharat's app for daily news and videos

Install App

કલમ 370 દૂર કરવાની માંગ સાથે 15 વર્ષની તનઝીમે આમરણ ઉપવાસ શરૂ કર્યા

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (12:32 IST)
બંધારણની કલમ 370 હટાવવાની માંગણી સાથે ત્રિરંગા ગર્લ તંઝીમ મેરાણી અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક પાસે આ માંગણીને લઇને  ઉપવાસ પર બેઠી છે. આ પહેલા પણ તે કાશ્મીરમાં ભારતનો ધ્વજ ફેલાવવાના પ્રયત્નો કરી ચૂકી છે. આઝાદીના સમયે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નહોતું. આવામાં રાજ્ય પાસે બે વિકલ્પો હતા, કે કાં તો તે ભારતમાં જોડાય અથવા તો પછી પાકિસ્તાનમાં. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા. પરંતુ તત્કાલીન શાસક હરિસિંહનો ઝોક ભારત તરફનો હતો. હરિસિંહે રાજ્યનો ભારતમાં વિલય કરવાનું વિચાર્યું અને વિલય કરતી વખતે ભારતીય બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો. શેખ અબ્દુલ્લાને તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરના વડાપ્રધાન બનાવી દીધા હતા. 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલના સ્થાને સદર-એ-સિયાસત અને મુખ્યમંત્રીના સ્થાને વડાપ્રધાન હતા. કલમ 370ને કારણે જ જમ્મુ-કાશ્મીરનો પોતાનો જુદો ધ્વજ અને પ્રતીક ચિહ્ન પણ છે. કલમ 370 હેઠળ ભારતના બધા રાજ્યોમાં લાગુ થનારા કાયદા આ રાજ્યમાં લાગુ નથી થતા. ભારત સરકાર ફક્ત રક્ષા, વિદેશનીતિ, નાણાકીય અને કોમ્યુનિકેશન જેવી બાબતોમાં જ દખલગીરી કરી શકે છે. આ ઉપરાત સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદો નથી બનાવી શકતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments