Webdunia - Bharat's app for daily news and videos

Install App

તળાજા: નદીમાં તણાઈ, 3નાં મોત

talaja
Webdunia
સોમવાર, 3 જુલાઈ 2023 (10:35 IST)
talaja
ગુજરાતમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. ખાસ કરીને મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મહેર કરી છે. વરસાદને કારણે અનેક જગ્યા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાવનગરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજાના પાવઠી ગામે રહેતો જીંજાળા પરિવારના સભ્યો જૂની કામરોલ ગામે વાલાદાદાના દર્શન કરીને પર ફરી રહ્યો હતો, વરસાદને કારણે જૂની કામરોલ પાસેના કોઝવે પર પાણી વહી રહ્યું હતું. તેમ છતા પાણીના ધસમસતા પ્રવાહમાં પરિવારના સભ્યોએ કાર નાંખી હતી, જેના કારણે તેમની કાર પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને કાર નદીમાં ખાબકી હતી.
 
પાવઠી ગામનો પરિવાર જૂની કામરોલ ગામે દર્શન માટે ગયો હતો
તળાજા તાલુકાના પાવઠી ગામના જીજાળા પરિવારના પાંચ લોકો આજે પોતાની વેગનઆર કાર લઈને જૂની કામરોલ ગામે દાદાના દર્શન કરવા માટે ગયા હતા. કારમાં દંપતી, તેના બે સંતાનો અને માતા સવાર હતા. જીજાળા પરિવારના સભ્યો જૂની કામરોલ ગામમાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોઝવે પરથી પસાર થઈ રહેલા પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાવા લાગી હતી અને નદીમાં ખાબકી હતી. જેમાં કાર ચલાવી રહેલો યુવક અને તેનો પુત્ર બહાર નીકળી જતા બચાવ થયો હતો. જ્યારે કારમાં સવાર યુવકના પત્ની, માતા અને પુત્રી બહાર ન નીકળી શકતા કાર સાથે પાણીમાં ડૂબી ગયા હતા.
 
મૃતકોના નામની યાદી
 
દયાબેન ભદ્રેશભાઈ જીજાળા
મુક્તાબેન વેલાભાઈ જીજાળા
અરમીબેન ભદ્રેશભાઈ જીજાળા
 
ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળ પર પહોંચ્યા
તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ પાસે કાર નદીમાં ખાબકી હોવાની જાણ થતા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે ત્રણ લોકોના મોત નિપજ્યાની જાણ મૃતકોના પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments