Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતી કાલે તારક મહેતાના બેસણામાં તેમના ચાહકો રંગબેરંગી કપડાંમાં હાસ્યાંજલિ પાઠવશે

Webdunia
શનિવાર, 4 માર્ચ 2017 (13:12 IST)
દરેક ઘરને સગ્ગા પાડોશી જેવા જ લાગે તેવા પાત્રો સર્જનારા ગુજરાતી હાસ્ય સાહિત્યના ધ્રુવતારક સમાન તારક મહેતા 1 માર્ચે સ્વર્ગમાં ‘હાસ્યસ્થ’ થયા અને પોતાની પાછળ કરોડો ચાહકોને ભીની આંખે હસતાં છોડી ગયા. લોકોને આજીવન હસાવ્યા ને મૃત્યુ બાદ પણ દુનિયાને ખુશ કરી જવાની ભાવના એવી કે દેહનું પણ દાન કરતા ગયા. તેમની વિદાય બાદ એક વિચારકે ખરુ જ કહ્યું હતું કે તેમના માટે ‘તેઓ ગુજરી ગયા’ ન કહેવાય,
‘જીવી ગયા’ કહેવાય.

આ રીતે જીવી ગયેલા તારક મહેતાનુ બેસણુ પણ તેમના જેવા હાસ્યલેખકના મિજાજને છાજે તે રીતે રંગીન કપડાંમાં યોજાશે. 5 માર્ચને રવિવારે સવારે 9.30થી 11.30 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાનારી તારક મહેતાની હાસ્યાંજલિ સભામાં આવનારા પરિવારજનો તેમજ ચાહકોને તારક મહેતાના પત્ની ઈન્દુબેન મહેતા, પુત્રી ઈશાનીબેન શાહ તથા જમાઈ ચંદુભાઈ શાહ સહિતના પરિવારજનોએ અનુરોધ કર્યો છે કે, ‘તારકભાઈના મિજાજને અનુલક્ષીને સફેદ વસ્ત્રો પહેરવા અનિવાર્ય નથી.’ તારક મહેતાએ એક વાર કહેલુ કે, તેમની અંતિમ યાત્રા એવી હોવી જોઈએ જેને જોઈને પણ લોકોમાં માત્ર હાસ્ય જ નિપજે. તારક મહેતાના સન્માનમાં યંગસ્ટર્સે સોશિયલ મીડિયા પર ‘ઊંધા ચશ્મા’ પહેરેલી તસવીરો મુકવાનો ટ્રેન્ડ કરેલો અને હવે તેમનુ બેસણુ રંગીન કપડાંમાં યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ બધુ જોઈને તારક દાદા સ્વર્ગમાં બેઠા બેઠા પણ પોતાના આગવા અંદાજમાં મંદ મંદ હાસ્ય વેરી રહ્યાં હશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments