Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટેક્સ્ટાઇલ માર્કેટ અને વિવિંગ ઈન્ડસ્ટ્રીમાં 50થી 60 ટકા લેબરો નથી

Webdunia
મંગળવાર, 25 મે 2021 (19:18 IST)
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના સંક્રમણની સીધી અસર દેખાઈ રહી છે. સુરતનો કપડા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. માર્કેટ, પ્રોસેસિંગ હાઉસ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ માર્કેટ ખુલી ગઈ છે પરંતુ લેબરોની અછતના કારણે માર્કેટના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં 3 લાખ કરતાં વધુ લેબરોની અછત છે. ટેક્સ્ટાઇલ માર્કેટ અને વિવિગ ઈન્ડસ્ટ્રીમાં 50થી 60 ટકા લેબરો નથી. સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં રોજના લાખો કારીગરો કામ કરતા હોય છે. જેમાં માર્કેટની દુકાનોનો કાયમી સ્ટાફ ફોલ્ડિંગ, કટીંગ, બોક્સ પેકિંગ, કાર્ટુન સપ્લાય અને ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. લાખોની સંખ્યામાં મજૂર વર્ગ કામ કરીને રોજીરોટી મેળવે છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગનું કાપડ સમગ્ર દેશ અને વિદેશમાં પહોંચ્યા છે. જેનો વ્યાપ ખૂબ જ મોટો છે. કોરોના સંક્રમણને કારણે કોરોના પહેલા અને બીજા તબક્કામાં ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન થયું છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવિંગ અને પ્રોસેસિંગ મિલોમાં પણ એ જ રીતે લાખોની સંખ્યામાં કામદારો કાર્યરત છે. હાલ પ્રોસેસિંગ લગભગ બંધ છે તેથી હજુ તેમાં કેટલા કારીગરોની અછત છે તે અંગે મિલ માલિકો સ્પષ્ટપણે જણાવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમના કહેવા પ્રમાણે જૂન મહિનાના પહેલાં સપ્તાહથી પ્રોસેસિંગ મિલો શરૂ થશે ત્યારે કેટલા કામદારો મિલો પર આવે છે, ત્યારબાદ સ્થિતિ સમજી શકાશે. કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લાગતા સમગ્ર દેશમાંથી તો કાપડની ડિમાન્ડ બંધ થઈ ગઈ હતી જેને કારણે પ્રોસેસિંગ હાઉસો પણ બંધ હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments