Festival Posters

અખિલેશ યાદવ પર સુરતમાં રહેતા યુપીવાસીઓ નારાજ

Webdunia
બુધવાર, 1 માર્ચ 2017 (11:51 IST)
યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા યુપી ઈલેક્શનના પ્રચાર દરમિયાન ગુજરાત વિશે અનેક ટિપ્પણીઓ કરાઈ હતી. ત્યારે સુરતમાં રહેતા યુપીવાસીઓએ અખિલેશ યાદવ પર ગુજરાતની ટાક કરવા બદલ ગુસ્સો ઠાલવ્યો છે. સુરતના આઠવા ગેટ ખાતે યુપીવાસીઓ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર જાહેરમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. જેથી સુરત શહેરમાં સ્થાયી થયેલા યુપીવાસીઓ દ્વારા ગુજરાત કી અસ્મિતા બચાવ રેલી યોજવામાં આવી હતી. હમ સમસ્ત ઉત્તર ભારતીય ગુજરાત કા હે હિસ્સા હૈ, ગુજરાત કા અપમાન હમારા અપમાન હૈ જેવા બેનરો લઇ નારા લગાવી યુપીવાસીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા યુપીવાસીઓએ જાહેરમાં અખિલેશનો વિરોધ કર્યો હતો. આ રેલી સુરતના અઠવા ગેટથી નીકળી કલેક્ટર ઓફિસ પહોંચી હતી. જ્યાં તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી અખિલેશ યાદવ સામે વિરોધ નોંધાવ્યો હતો
વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments