Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ઓખી વાવાઝોડાને કારણે મોદીની સભા રદ કરાઈ, 1672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (09:46 IST)
ઓખી વાવાઝોડું આજે મધરાતે સુરતમાં પ્રવેશતા 50થી 60 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.વાવાઝોડું આવતા પહેલાં તંત્ર સજ્જ થઈ ગયું છે. ઓલપાડ ખાતે બે ગામગમાં વધુ અસરના કારણે 1672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ બે એનડીએરએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.

જ્યારે સુરત શહેરમાં નેતાઓના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.આવતીકાલની વડાપ્રધાનની સભા પણ રદ કરી દેવામાં આવી છે. લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડમાં આ સભા મંગળવારની જગ્યાએ હવે બુધવારે યોજવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે રીંગરોડ મહાવીર ટેક્ષટાઇલ માર્કેટ પાસે, મોર્ડન ટાઉનશીપ, લિંબાયત ફાયર સ્ટેશન પાસે અને ઉત્સવ પાર્ટી પ્લોટ, સીટીલાઇટ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તરપ્રદેશ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા 14 મેયર પણ સુરત ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સુરત ખાતે આવનાર હતા. જોકે, ઓખી વાવાઝોડાના કારણે આ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જ્યારે મનોજ તિવારીના કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments