Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં બસની ટક્કરે બે લોકોનો ભોગ લીધો, ધો.11ના વિદ્યાર્થીનું સિટી બસની મોતની ટક્કર

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2024 (10:50 IST)
surat accident news
સુરત શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ દ્વારા સતત અકસ્માત થતા હોવાની ઘટના સામે આવી રહી છે.  આજે શહેરના પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટુ-વ્હિલર પર જતા ધોરણ 11ના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મૃત્યુ થયુ હતુ. જ્યારે બીજા બનાવમાં ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી ST બસે યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં સ્કૂટી પર આવેલા ત્રણ શખસોએ યુવકનો મોબાઈલ છિનવીને માર માર્યો હતો. યુવક ડરી જતા ભાગ્યો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ બીઆરટીએસ રૂટમાં પૂરઝડપે આવતી ST બસ તેના પર ચડી ગઈ હતી અને મોતને ભેટ્યો હતો. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉધના વિસ્તારમાં રહેતા ગૌરવ બારડોલિયા પાંડેસરા વેલકમ પાન પાસેથી પોતાના ટુ-વ્હિલર ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ સિટી બસના ચાલકે તેને અડફેટે લીધો હતો. બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોને ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.આ ઘટના બની હતી ત્યારે આસપાસના લોકોએ ડ્રાઇવરને જોઈ લેતા તેને આગળ જઈને પકડી પાડ્યો હતો. અકસ્માત થયો તે દરમિયાન ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. એવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

અન્ય બનાવની વાત કરીએ તો મૂળ ઓડીસાનો 23 વર્ષીય સાગર પ્રકાશ બહેરા લુમ્સના ખાતામાં બોબીન ભરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ સાગર સાંજે નોકરી પરથી ઘરે સાયકલ પર એક મિત્ર સાથે આવી રહ્યો હતો. દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં તેમની સાયકલની આડે ત્રણ જેટલા યુવકો મોબાઈલ લઈને ધસી આવ્યા હતા અને તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે રહેલો મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો.સાગર અને તેનો મિત્ર ભાગવા લાગ્યા હતા. બીઆરટીએસ રૂટ ક્રોસ કરતા સમયે બીઆરટીએસ રૂટમાં પૂરઝડપે દોડતી એસટી બસે સાગરને અડફેટે લઈ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા સાગરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments