Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sujalam Sufalam Yojana: આ રીતે તરબતર થઈ સુકા ગુજરાતની ધરતી, બદલાઈ ગઈ ખેડૂતોની જિંદગી, વધ્યા કમાણીના સાધન

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (08:57 IST)
Sujalam Sufalam Yojana
Sujalam Sufalam Yojana -  ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાએ માત્ર કૃષિને પુનર્જીવિત કરવામાં જ ભૂમિકા  નથી ભજવી પરંતુ સ્થાનિક સમુદાયોને પણ મજબૂત કર્યા છે, જેનાથી ગુજરાતના લોકોને સમૃદ્ધિનો માર્ગ મળ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, અમે સુજલામ-સુફલામ યોજના શરૂ કરી હતી અને તેના માટે જમીન આપવા બદલ ઉત્તર ગુજરાતના ખેડૂતોનો હું વારંવાર આભાર વ્યક્ત કરું છું. લગભગ 500 કિમી લાંબી કેનાલ કોઈપણ કાયદાકીય વિવાદ વિના બનાવવામાં આવી હતી. લોકોએ કેનાલ માટે જમીન દાનમાં આપી અને પાણી વહેવા લાગ્યું
 
આ રીતે બદલાઈ ગયું ખેડૂતોનું જીવન 
બનાસકાંઠા જિલ્લાના માલગઢ મામા નગર ગામમાં 30 એકર જમીન ધરાવતા કલ્પેશ કુમાર સોલંકી જેવા ખેડૂતોએ આ બદલાવ જોયો છે. કલ્પેશ, જે પહેલા પાણીના ઘટતા સ્તર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તે  હવે તે યોજના હેઠળ પીવીસી પાઈપલાઈન દ્વારા પહોંચાડવામાં આવતા પાણીનો ઉપયોગ કરીને પોતાના ખેતરોમાં સિંચાઈ કરે છે. આનાથી મગફળી, બટાકા અને અન્ય શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે, જેના કારણે તેઓ વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવા સક્ષમ છે. આ ઉપરાંત હવે સ્વચ્છ પાણી પણ તેમના ઘર સુધી પહોંચી રહ્યું છે, જે તેમની ઘરેલું જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે. કલ્પેશ આ યોજનાને ખેડૂતો માટે એક ચમત્કાર માને છે અને તેના સમર્થન માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરે છે.
 
કલ્પેશ કહે છે કે, પહેલા અહીં બહુ દુષ્કાળ પડતો હતો. અમારે અહીં પાણીની ઘણી સમસ્યા હતી અને ભૂગર્ભ જળનું સ્તર ઘણું નીચું ગયું હતું, જેના કારણે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ હતી. ત્યારબાદ, પીએમ મોદીએ સુજલામ-સુફલામ યોજના શરૂ કરી, જેનાથી  તળાવોમાં પાણી આવ્યું. ત્યારબાદ અમે પીવીસી પાઇપ દ્વારા તળાવમાંથી પાણી અમારા ખેતરોમાં પહોંચાડવાનું શરૂ કર્યું. આ સાથે અમે ખેતરોમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. કલ્પેશે વધુમાં જણાવ્યું કે, અમે શિયાળામાં બટાકા અને ઉનાળામાં તરબૂચ ઉગાડીએ છીએ. અમે વરસાદની મોસમમાં મગફળી ઉગાડીએ છીએ અને આ પાકમાંથી અમને ઘણી આવક થાય છે.
 
ગામના અન્ય ખેડૂત મંગળભાઈ માળીએ કહ્યું, ઘણું બદલાઈ ગયું છે; અગાઉ પશુપાલન કે ખેતીની બાબતમાં કંઈ નહોતું. બધું ઉજ્જડ હતું અને રેકોર્ડ્સ આ વાત સાબિત કરે છે. જ્યારે મોદી સરકાર આવી ત્યારે બધા ખૂબ ખુશ થયા. તમામ ખેડૂતો વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરે છે. 
 
યોજનાનો ઉદ્દેશ  સૂકી જમીનને ભેજવાળી કરવાનો
સુજલામ સુફલામ યોજનાનો હેતુ સમગ્ર ગુજરાતમાં નદીઓને પુનઃજીવિત કરવાનો, ચેકડેમ બનાવવા અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો હેતુ પાણીની અછત માટે રાજ્યની સ્થિતિસ્થાપકતા વધારવા, કૃષિ ઉત્પાદકતા વધારવા અને અર્ધ-શુષ્ક વિસ્તારોને ઉત્પાદક કૃષિ વિસ્તારોમાં પરિવર્તિત કરવાનો છે. સુજલામ સુફલામ યોજનાને વિશ્વ બેંક દ્વારા ભૂગર્ભજળ રિચાર્જિંગ દ્વારા દુષ્કાળ નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ માન્યતા આપવામાં આવી છે. તેના મુખ્ય ઘટકોમાં જળાશયો ભરવા માટે પાણીનો સમાવેશ થાય છે.
 
જળ સંરક્ષણ બની ગયું અભિયાન 
વારસાને આગળ ધપાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિને વેગ આપવા અને સ્થિરતાને પ્રોત્સાહિત કરવા  સમગ્ર ગુજરાતમાં  વરસાદી પાણીના સંગ્રહના માળખાના નિર્માણ પર જોર આપી રહ્યા છે. તેમણે સમગ્ર રાજ્યમાં 11 લાખ ઘન મીટરથી વધુ પાણીના સંરક્ષણમાં વધારો કરવા અને લગભગ 24,800 વરસાદી પાણીના સંગ્રહના માળખાના નિર્માણમાં યોજનાની સફળતાને રેખાંકિત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, જળ સંચય એ સમયની જરૂરિયાત છે. વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિની પહેલથી પ્રથમ ગુજરાતમાં અને પછી સમગ્ર દેશમાં જનજાગૃતિ અને ભાગીદારી આવી છે.
 
વિશ્વ બેંકે પણ પાણીદાર ગુજરાતના વખાણ કર્યા હતા 
વિશ્વ બેંકે ભૂગર્ભજળના સ્તરમાં વધારો કરવા, ખોદેલા કૂવાઓને પુનઃજીવિત કરવા, સિંચાઈના વિસ્તરણ અને પાણીની અછતવાળા વિસ્તારોમાં ઉર્જાનો ઉપયોગ ઘટાડવા માટે રાજ્યની પ્રશંસા કરી છે. ગુજરાતની આ કાયાપલટને દેશના અન્ય રાજ્યો માટે મોડેલ તરીકે સ્થાપિત કરવા માટે નિષ્ણાતોએ સુજલામ સુફલામ યોજનાની પ્રશંસા કરી છે.
 
જળ વ્યવસ્થાપન નિષ્ણાત અભય રાવલ કહે છે કે, આજે ગુજરાત ખાસ કરીને સમગ્ર દેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે રોલ મોડલ બન્યું છે અને આનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેનો પાયો નાખ્યો અને આજે ગુજરાત આ તબક્કે પહોંચ્યું છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે ગુજરાતની સુજલામ સુફલામ યોજનાની સફળતાને રાષ્ટ્રીય સ્તરે અપનાવવાનો  પ્રયાસ કર્યો હતો. આ વિઝનને કારણે જલ શક્તિ અભિયાન અને અટલ ભુજલ યોજનાની શરૂઆત થઈ, જે સમુદાયોને સશક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલ પહેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

Happy Sharad Purnima 2024 Shayari, Wishes Images:આ 5 સુંદર મેસેજીસ દ્વારા આપો શરદ પૂર્ણિમાની શુભેચ્છા

Sharad purnima Muhurat- શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત, પૂજા વિધિ

બહરાઈચના પીડિત પરિવારને મળીને ભાવુક થયા યોગી, મુસ્લિમ ગુનેગારોને લઈને કરી મોટી જાહેરાત

સળિયા અને સિમેન્ટના ભાવમાં અચાનક જબરદસ્ત ઘટાડો, જાણો કેટલા સસ્તા થયા સિમેન્ટ

આગળનો લેખ
Show comments