Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 12માં બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીનો આપઘાત

Webdunia
ગુરુવાર, 26 મે 2022 (18:03 IST)
નાંદોદ તાલુકાના વાવડી ગામે રહેતી વૃંદા પટેલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હતી. દરમિયાન તાજેતરમાં 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થતાં તે બે વિષયમાં નાપાસ થઈ હતી. જેથી તેણીને લાગી આવતા તેની એ ઘરે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન બનાવની જાણ તેના પરિવારજનોને થતાં તુરંત જ વિદ્યાર્થીનીને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 
આ બનાવથી પરિવામા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી અને રાજપીપળા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તેના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામા આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિવારને મૃતદેહ સોપવામાં આવ્યો હતો

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments