Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના સરખેજમાં મુસાફરો ભરેલી ST બસમાં ભીષણ આગ લાગતા બળીને ખાક

Webdunia
શનિવાર, 23 માર્ચ 2024 (16:10 IST)
fire in bus


- સરખેજ વિસ્તારમાં આજે બપોરે એકાએક એસટી બસમાં આગ લાગી 
- ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
- ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે બપોરે એકાએક એસટી બસમાં આગ લાગી હતી. જેના પગલે બસમાં મુસાફરી કરનારા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ જતા ખોખુ બની ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ અન્ય વાહનચાલકો પણ ભયમાં મૂકાયા હતા.મળતી

માહિતી મુજબ અમદાવાદથી ધોળકા જતી ગુજરાત એસટી બસમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સરખેજ સર્કલ પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જોઈ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા.અચાનક જ બસ ભડભડ સળગી ઉઠી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉનાળાની ગરમીમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધારે બનતા હોય છે ત્યારે બસમાં લાગેલી આગ શોર્ટ સર્કિટ અથવા એન્જિનનો ભાગ ગરમ થયો હોવાથી લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળે છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments