Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથમાં શ્રાવણ માસની ઉજવણી સાદાઈ થી થશે પાલખીયાત્રા પણ નહીં નીકળે

Webdunia
બુધવાર, 15 જુલાઈ 2020 (15:07 IST)
કોરોના મહામારીને લઈ લોકડાઉનબાદ સોમનાથ સહિતના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયા હતા.જો કે બાદમાં નિયમોને આધિન મંદિરો ખોલવાની છૂટછાટ અપાઈ છે જો કે હાલની સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇ કાર્યકમો,ઉજવણી કરવાની મનાઈ છે.ત્યારે જ સોમનાથની વાત કરીએ તો આ વર્ષે શ્રાવણ માસની ઉજવણી સાદાઈ થી કરાશે તેમજ પાલખીયાત્રા પણ નહીં નીકળે.આ અંગે ટ્રસ્ટના જનરલ  મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણમાસની વિશેષ ઉજવણી નહીં થાય અને પૂજા અર્ચના પણ કાળજી પૂર્વક કરાશે તેમજ કોરોનાને લઈ સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેમનું પાલન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે,કે સોમનાથ સાનિધ્યે 25 વર્ષથી પાલખી યાત્રા યોજાતી હતી.જે આ વર્ષે નહીં યોજાય. શ્રાવણમાસમાં સોમનાથ મંદિરે યોજાતા શ્રુગાર,દીપમાળા યથાવત રહેશે. અને દરરોજ શ્રુગારને  લઈ આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમની આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરાશે. મહાદેવને રોજ આરતી,પૂજા કરવામાં આવતી હોય છે.અને સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments