Dharma Sangrah

હવે અમદાવાદમાં પણ બનશે વિદેશોની માફક ગગનચૂંબી ઇમારતો, લીધો આ નિર્ણય

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (09:53 IST)
ગુજરાતના પાટનગર ગાંધીનગરને અડીને આવેલા અમદાવાદનો ચહેરો બદલાવાનો છે. મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે હવે શહેરમાં 30-33 માળની ઇમારતો પણ જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ શહેરના સોલા, બોડકદેવ અને શીલજ વિસ્તારમાં 30 થી 33 માળની ઇમારતો બનાવવામાં આવશે. આ ઈમારતોની ઉંચાઈ 100 મીટર સુધીની હશે. મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ બે બિલ્ડીંગને મંજૂરી આપી હતી. હવે વધુ ઊંચી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. આ પછી હવે આગામી વર્ષોમાં શહેરના ત્રણ વિસ્તારોમાં ગગનચુંબી ઇમારતો જોવા મળશે.
 
સતત વિકાસના પંથે ઝડપથી દોડી રહેલું અમદાવાદ શહેર પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. જેમાં શહેરની બે ઈમારતોને ગગનચુંબી ઈમારતો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે અમદાવાદમાં 30 થી 33 માળની બિલ્ડીંગ બનશે. શહેરના સોલા, બોડકદેવ, શીલજમાં હાઇરાઇઝ ગગનચુંબી ઇમારતો બનાવવામાં આવશે. AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઈમારતોની ઊંચાઈ 100 મીટર સુધીની હોઈ શકે છે.
 
અગાઉ માત્ર બે જ બિલ્ડીંગને બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદમાં અનેક વિકાસ થઈ રહ્યા છે અને શહેરની છબી ધીમે ધીમે બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ જેવા શહેરોમાં જોવા મળતી હાઈરાઈઝ ઈમારતો હવે અમદાવાદમાં પણ જોવા મળશે. કોર્પોરેશનની શહેર આયોજન સમિતિમાં આ અંગે નિર્ણય લેવાયો છે. હાલમાં શહેરના ત્રણ વિસ્તારમાં 33 માળ સુધીની ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં અમદાવાદના કથવારા ગોતા, ચાંદલોડિયા, સોલા અને ફતેવાડીમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ તૈયાર કરવા પણ સહમતિ સધાઈ હતી. આ અંગે રાજ્ય સરકાર અંતિમ સલાહ આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

વધુ જુઓ..

નવીનતમ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

આગળનો લેખ
Show comments