Webdunia - Bharat's app for daily news and videos

Install App

શામળાજી મંદિર પરિસરમાં ફોટો પડાવતી ભરૂચની મહિલાએ બેલેન્સ ગુમાવ્યું, વાવમાં પટકાતા મોત નિપજ્યું

Webdunia
શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (16:59 IST)
Photo Source- Harish
શામળાજી મંદિર પરિસરમાં આજે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં તસવીર ખેંચાવવા માટે મંદિર પરિસરમાં આવેલી વાવ પરની પાળીથી બેલેન્સ ગુમાવતા મહિલા વાવમાં ખાબકતા કરૂણ મોત થયું હતું. મહિલા તેની સાથે રહેલી કોઈ યુવતી સાથે વાવની ઉપર ઊભી હતી ત્યારે અચાનક બેલેન્સ ન રહેતા દર્શન કરવા આવેલી ભરૂચની મહિલા અંદરની તરફ પડી હતી અને ઘટનાસ્થળે જ વાવમાં મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. શામળાજી મંદિર પરિસરમાં ભરૂચના 42 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી તસવીર પડાવતા હતા ત્યારે અચાનક જ તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને લથડ્યા ખાઈને વાવની અંદરની તરફ પટકાયા હતા. તેઓ પરિવાર સાથે શામળાજી દર્શને આવ્યા હતા. દર્શન વેળા જ બનેલી દુઃખદ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થયો હતો. જ્યારે અકસ્માતની શામળાજી પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments