Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે

જાણો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે
Webdunia
શનિવાર, 9 જૂન 2018 (15:30 IST)
ગુજરાતની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો જીતી શકાય તેમ છે તેનો એક રીપોર્ટ ગુજરાત કૉંગ્રેસ દ્વારા તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલી આપવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 9 બેઠકો જીતશે. લોકસભાની 2019માં યોજાનારી ચૂંટણી અંગે ગુજરાત કૉંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. નવી રણનીતિ ઘડવાની સાથોસાથ સંગઠનમાં ફેરફાર અને મીટિંગોનો દોર ચાલી રહ્યો છે. ઉપરાંત વિધાનસભાની બેઠકોને ધ્યાનમાં રાખીને એનાલીસીસ કરવામાં આવ્યું છે જે પ્રમાણે કૉંગ્રેસને લોકસભામાં ગુજરાતની 9 બેઠકો મળશે. આ રીપોર્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યો છે. રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અમરેલી, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ભરૂચની બેઠકો પણ વિજય મેળવશે. વિધાનસભામાં કૉંગ્રેસનાં ફાળે આવેલી બેઠકો અને રાજ્યમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન સહિત વિવિધ સમાજનાં જે આંદોલન ચાલી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને આ સર્વે અંતર્ગત કોંગ્રેસને લોકસભાની 9 બેઠકો મળતી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવ્યો છે. આ સાથે કૉંગ્રેસ 9થી વધારે લોકસભાની બેઠકો જીતવા માટે પણ કોંગ્રેસ દ્વારા રણનીતિ અખત્યાર કરવામાં આવી રહી છે જેની અંદર લોકસભાની 2014ની ચૂંટણીમાં ગુજરાતમાં જે બેઠકો ઉપર ભાજપને ઓછી લીડ મળી હોય તેવી બેઠકને ટાર્ગેટ કરવામાં આવશે અને આ બેઠકો ઉપર વધારે ધ્યાન આપીને તે બેઠકો ભાજપ પાસેથી આંચકી લેવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

આગળનો લેખ
Show comments