Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો શરૂ જાણો શું છે ગાઈડલાઈન

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (16:22 IST)
રાજ્યમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજ્યમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે.
 
શિક્ષણમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, શાળાઓમાં ઓનલાઇન અને ઑફલાઇન એમ બંને માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.
 
જે વાલીઓ પોતાનાં બાળકોને શાળાઓમાં મોકલવા માગતા હોય, તેમણે સંમતિપત્રક આપવાનું રહેશે.
 
શિક્ષણમંત્રીએ જાહેરાત દરમિયાન કહ્યું હતું કે, ધોરણ 1થી 5ના વર્ગોના સંચાલન માટે પણ અન્ય વર્ગો માટે જાહેર કરાયેલી એસઓપીનો જ અમલ કરવાનો રહેશે.2 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારના શિક્ષણવિભાગે ધોરણ 6થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ કર્યા હતા. જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.
 
 
 
 
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાસંચાલકોએ ધ્યાને લેવાની બાબતો
શાળામાં આવવા માગતા વિદ્યાર્થીનાં માતાપિતા અથવા વાલીની સંમતિ શાળાએ મેળવવાની રહેશે.
સંમતિ માટેનાં ફોર્મ સાથે વાલીઓને અગત્યની સૂચનાઓ અને નિયમો પણ મોકલવામાં આવશે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અમે સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવો અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો.
શાળામાં હાથ ધોવા માટે સાબુ તથા સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
શાળાપ્રવેશ વખતે થર્મલ ગનથી સ્ક્રીનિંગની કરવાનું રહેશે.
વર્ગોમાં બેઠક વ્યવસ્થા માટે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે.
શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું.
સામૂહિક પ્રાર્થના કે મેદાન પરની રમત-ગમત થઈ શકશે નહીં.
વર્તમાન ઑનલાઇન ઍજ્યુકેશનની વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવશે.
વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં નહીં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments