Webdunia - Bharat's app for daily news and videos

Install App

21મીથી સ્કૂલો શરૂ કરવા સરકારની મીટિંગઃ ટૂંકમાં નિર્ણય થશે

Webdunia
ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (14:02 IST)
કેન્દ્ર સરકારે ૨૧મીથી ધો.૯થી૧૨માં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આંશિક ધોરણે સ્કૂલો શરૃ કરવા માટે એસઓપી જાહેર કરી દીધી છે ત્યારે હવે ગુજરાતમાં ૨૧મીથી સ્કૂલો શરૃ થશે કે કેમ તેને લઈને હાલ વાલીઓ-સ્કૂલો અને વિદ્યાર્થીઓમાં અસમંજસતા ફેલાઈ છે.જ્યારે સરકારે એસઓપીનો અભ્યાસ કરી નિર્ણય કરવા માટે મીટિંગ બોલાવી હતી. શિક્ષણમંત્રીએ આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.જેમાં અધિકારીઓને કેન્દ્ર સરકારની એસઓપી-ગાઈડલાઈનનો વિગતવાર અભ્યાસ કરી આવતીકાલ સાંજ સુધી રિપોર્ટ આપવા શિક્ષણમંત્રીએ જણાવ્યુ છે. અભ્યાસ બાદ સરકાર એક-બે દિવસમાં સ્કૂલો શરૃ કરવા અંગે નિર્ણય જાહેર કરશે.જો કે કેન્દ્ર સરકારની એસપીઓ મોટા ભાગે રાજ્યમાં સ્કૂલો શરૃ કરવા માટે અમલમાં મુકાશે સરકાર સંપૂર્ણ પાલન કરશે પરંતુ ઘણા સંચાલકો સ્કૂલો શરૃ કરવા તૈયાર નથી તો ઘણા વાલીઓ બાળકોને હજુ સ્કૂલે મોકલવા રાજી નથી.જ્યારે ઘણા સ્કૂલ સંચાલકો ૨૧મીથી સ્કૂલો ખોલવા તૈયાર છે. આમ સરકારે વધતા કોરોના કેસ વચ્ચે કોઈ વિવાદ ન થાય અને સમાપણે તમામને સાથે લઈને નિર્ણય કરવો પડશે અને ગાઈડલાઈન આપવી પડશે.જો કે ૨૧મીથી વાલીઓ પોતાની સંમંતિથી બાળકોને માત્ર શિક્ષકોના માર્ગદર્શન માટે સ્કૂલે મોકલી શકશે.વિદ્યાર્થીઓની હાલ કોઈ પણ જાતની હાજરી ધ્યાને નહી લેવાય.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments