Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા હોબાળો

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:39 IST)
બોટાદ ના સુપસિધ્ધ સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજ ને શાંતાકલોઝના વાઘા પહેરાવતા હિન્દુ સંગઠનો એ ભારે હંગામો કર્યો હતો. ભારે વિરોધ સાથે તેમણે સારંગપુર મંદિરના તંત્રને વાઘા હટાવવાની ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 
સાંરગપુર સ્વામીનારાયણ મંદિર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાંથી એક છે અને શ્રદ્ધાળુઓથી ભરચક રહે છે. મંદિર પ્રશાસને મંદિરની પ્રસિદ્ધિ મામલે ઓનલાઇન સેવા પણ શરુ કરેલ છે. જે દરમિયાન ક્રિસમસ તહેવારો નિમિત્તે હનુમાનજીને શાંતાકલોઝના વાઘા પહેરાવીને તેના ફોટા મંદિરની સત્તાવાર વેબસાઇટ પર મૂક્યા હતા. 
સ્થાનિક હિન્દુ સંગઠનોના ધ્યાનમાં આ વાત આવતા તેમણે મંદિર તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે વાઘા બદલવાની માગ સાથે વેબસાઇટ પરથી ફોટા ડિલીટ કરવા જણાવ્યું હતું.  સ્થાનિક હિન્દુ સંગઠન મુજબ, મંદિરની આ પ્રકારની હરકતે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી હતી, જેને ક્યારે પણ સહન કરવામાં નહી આવે. તેમના મુજબ હનુમાનજીને  શાંતાકલોઝના વાઘા પહેરાવવા તેમનું અપમાન છે અને પ્રસિદ્ધિ મુજબ મંદિર તંત્રએ તેની મર્યાદાઓ જાળવવી જોઇએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments