Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા હોબાળો

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:39 IST)
બોટાદ ના સુપસિધ્ધ સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજ ને શાંતાકલોઝના વાઘા પહેરાવતા હિન્દુ સંગઠનો એ ભારે હંગામો કર્યો હતો. ભારે વિરોધ સાથે તેમણે સારંગપુર મંદિરના તંત્રને વાઘા હટાવવાની ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 
સાંરગપુર સ્વામીનારાયણ મંદિર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાંથી એક છે અને શ્રદ્ધાળુઓથી ભરચક રહે છે. મંદિર પ્રશાસને મંદિરની પ્રસિદ્ધિ મામલે ઓનલાઇન સેવા પણ શરુ કરેલ છે. જે દરમિયાન ક્રિસમસ તહેવારો નિમિત્તે હનુમાનજીને શાંતાકલોઝના વાઘા પહેરાવીને તેના ફોટા મંદિરની સત્તાવાર વેબસાઇટ પર મૂક્યા હતા. 
સ્થાનિક હિન્દુ સંગઠનોના ધ્યાનમાં આ વાત આવતા તેમણે મંદિર તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે વાઘા બદલવાની માગ સાથે વેબસાઇટ પરથી ફોટા ડિલીટ કરવા જણાવ્યું હતું.  સ્થાનિક હિન્દુ સંગઠન મુજબ, મંદિરની આ પ્રકારની હરકતે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી હતી, જેને ક્યારે પણ સહન કરવામાં નહી આવે. તેમના મુજબ હનુમાનજીને  શાંતાકલોઝના વાઘા પહેરાવવા તેમનું અપમાન છે અને પ્રસિદ્ધિ મુજબ મંદિર તંત્રએ તેની મર્યાદાઓ જાળવવી જોઇએ.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments