Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણીનો કકળાટ, ગુજરાતના નર્મદા સહિતના ૨૦૪ ડેમમાં ૪૧.૫૨ ટકા પાણી બચ્યું

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (16:37 IST)
સરદાર સરોવર નર્મદા યોજના ડેમ સહિતના ગુજરાતના ૨૦૪ સિંચાઈ જળાશયોમાં (ડેમ) બધું મળીને ૪૧.૫૨ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના સત્તાવાર અહેવાલમાં ૨૩મી ફેબુ્રઆરીના આંકડા પર નજર નાંખીએ તો માલુમ પડે છે કે રાજ્યનાં જળાશયોની સંગ્રહશક્તિ ૨૫૨૨૬.૮૧ લાખ ઘન મીટરની (એમસીએમ) છે અને તે સામે હયાત જથ્થો ૧૦૪૭૫.૩૩ લાખ ઘનમીટર છે. ગયા સપ્તાહમાં આ જળસંગ્રહ ૧૦૯૫૩.૯૪ એમસીએમ હતો તે જોતાં એક સપ્તાહમાં ૪૭૮.૬૧ એમસીએમ પાણીનો ઘટાડો નોંધાયો છે.

આંકડા કહે છે તેમ ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૪૩.૪૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૬૦.૨૦, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૪૩.૭૬, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૪.૯૧ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં ૩૦.૯૩ ટકા અને નર્મદા ડેમમાં ૩૮.૨૪ ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. એકલા નર્મદા ડેમની વાત કરીએ તો ડેમની ડિઝાઈન પ્રમાણે ૯૪૬૦ એમસીએમ જળસંગ્રહ શક્તિ છે. તે સામે ૩૬૧૭.૨૪ એમસીએમ જળરાશિનો સંગ્રહ છે. એક સપ્તાહમાં ૧૪૪ એમસીએમ પાણીનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા યોજનામાંથી ઉનાળુ પાક માટે સિંચાઈની વાતનો સરકારે આ વર્ષે છેદ ઉડાડી દીધો છે. હવે બાયપાસ ટનલ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોને પીવાનું પાણી આપવાની જોગવાઈ કરાઈ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સુંદર સેક્રેટરીનો ગુસ્સો

સંજય દત્તને પત્ની માન્યતાને આ સ્ટાઈલથી કર્યુ વિશ, પતિ પર આ રીતે લુટાવ્યો પ્રેમ, સ્પેશલ શેયર કર્યો વીડિયો

શું તમે ભારતનો સૌથી ભયાનક કિલ્લો જોયો છે? લોકો સૂર્યાસ્ત પછી જતા નથી

ગુજરાતી જોક્સ - મારી ગર્લફ્રેન્ડે મને તેના ઘરે બોલાવ્યો

એક સરદાર નવી નોકરીમાં જોડાયા,

વધુ જુઓ..

નવીનતમ

Sarojini Naidu- પ્રથમ મહિલા ગર્વનર સરોજિની નાયડુના જીવનથી સંકળાયેલી 10 વાતોં

રોજ 60 મિનિટ ચાલવાથી કેટલી કેલરી બર્ન થાય છે અને હેલ્થને શું થાય છે લાભ ?

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ

આગળનો લેખ
Show comments