Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shaheen Bagh protests- શાહિબાગ શહિદ સ્મારક પાસે માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોના ધરણાં

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (14:43 IST)
ગુજરાતમાં હવે ચારેબાજુ આંદોલનો શરુ થઈ ગયાં છે. એક બાજુ લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાનું આંદોલન ગાંધીનગરમાં કેટલાય દિવસથી શરુ થયેલું છે. બીજી બાજુ ખેડૂતો સરકારી સહાય અને પાક વિમા મુદ્દે લાલઘૂમ છે. ઉત્તર ગુજરાતમાં એક બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ખુદ સીએમ રુપાણી પણ સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરી ચૂક્યા છે. તો ભાજપના જ ધારાસભ્યોમાં અંદરો અંદર અધિકારીઓ કોઈનું સાંભળતા નહીં હોવાની અનેક ચર્ચાઓ ચાલી છે. ત્યારે હવે જેના નામે દેશભક્તિની મશાલો લઈને નિકળવા વાળાઓ હવે તેમની જ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના શહીદ સ્મારક પાસે હજારો સૈનિકોના પરિવારજનો પોતાની માંગ સાથે ધરણા પર બેઠા છે. તેઓ શાહીબાગથી ગાંધીનગર તરફ જાય તેવી શક્યતા છે, જેને પગલે હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનોએ નોકરી, વળથર સહિતની 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments