Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટનો રન-વે 31 જાન્યુઆરી સુધી 9 કલાક માટે બંધ રહેશે, સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (13:29 IST)
અમદાવાદ એરપોર્ટ ખાતે હાલમાં પ્રતિદિન 136  ફ્લાઇટના આવાગમન થાય છે. રિકાર્પેટિંગની કામગીરી શરૃ થતાં જ તેમાં ઘટાડો થઇ ૧૦૩ ફ્લાઇટોના ડિપાર્ચર-એરાઇવલ થઇ જશે. આમ, અમદાવાદ એરપોર્ટમાં પ્રતિદિન ૩૩ ફ્લાઇટની અવર-જવર બંધ રહેશે જ્યારે ૧૫ ફ્લાઇટને રીશેડયૂલ કરાશે. ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે દરમિયાન મોટાભાગની ફ્લાઇટને સવારે ૯ પહેલા અને સાંજે ૬ બાદ જ ઓપરેટ કરવામાં આવશે.અગાઉ સાડા ત્રણ કિ.મી લાંબા રન-વે (૩૩૦૦ મીટર) રિ-કાર્પેટિંગ કરવાનો દિવાળીના તહેવારોમાં કરવા નક્કી કરાયુ હતુ. પરંતુ કોરોના બાદ માંડ શરૃ થયેલી ડોમેસ્ટિક ફલાઇટોના અનેક શેડયુલ ખોરવાય નહીં અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો ન પડે માટે અનેક રજૂઆતો બાદ આ નિર્ણયમાં ફેરફાર કરી આગામી જાન્યુઆરી મહિનાના પ્રારંભે કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટને પગલે રન-વે રિસરફેસિંગની કામગીરી ૧૭ જાન્યુઆરીએ લઇ જવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ ફલાઇટ ઇન્ડિગોની છે જેના પ્રતિદીન ૫૦ જેટલા ડિપાર્ચર-એરાઇવલ છે હવે રન-વેના રિ-કાર્પેટિંગના પગલે ઘટીને અંદાજીત ૩૮ જેટલા થઇ જશે. તેવી જ રીતે ગો અને સ્પાઇસજેટના પ્રતિદીન ૩૨-૩૨ ફલાઇટોના ડિપાર્ચર-એરાઇવલ છે જે ઘટીને ૨૫-૨૫ થઇ જશે. ઇન્ડિગોએ તેમના વ્યસ્ત રૃટ પર ચાલતી કેટલી ફલાઇટોને વડોદરાથી ઓપોરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. જેમાં મુંબઇ અને દિલ્હી, ગોવાનો સમાવેશ થાય છે. રન-વે રિકાર્પેટિંગના સમયમાં અનેક ફેરફારોના કારણે એરલાઇન કંપનીઓએ બુકીંગ સિસ્ટમ પર ઓપન રાખ્યા હતા. તેવા ઘણાય મુસાફરોએ એડવાન્સ બુકીંગ પણ કરી દીધા છે તેમની ફલાઇટ રદ ન થાય મુસાફરોના હાલાકીનો સામનો ન કરવો પડે માટે એકબીજા સેક્ટરની ફલાઇટો મર્જ કરી મુસાફરોને સેવા આપશે. સ્ટાર એરની કિશનગઢ અને ટ્ જેટની પોરબંદર, કંડલા ફલાઇટને બંધ કરવામાં આવશે. જેસલમેરની ફલાઇટના સમયમાં ફેરફાર કરી સવારે ૭  વાગે ઓપરેટ કરવા હાલ સંભવિત જાહેરાત કરાઇ છે. એર ઇન્ડિયાની એકપણ ફલાઇટને અસર થશે નહીં.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments