Festival Posters

ગુજરાતની 33 RTOમાં પુરતા કર્મચારીઓ ના હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (12:16 IST)
સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમન માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે અને ભારે ભરખમ દંડની રકમ લોકો પાસેથી વસુલાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા સહિત અનેક રીતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે લાઈસન્સ કે પીયુસીની વાત આવે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના 33 આરટીઓમાં 631 જગ્યાઓ ખાલી હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી. બીજી તરફ સોમવારથી ટ્રાફિક નિયમના ભંગ બદલ 400 થી 900 ટકાનો વધારો કરતા કોંગ્રેસ 079- 41050774 નંબર પર મિસ કોલ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રાફિકના નિયમમાં રૂ. 400થી900 ટકાનો વધારો ઘટાડવાની માગણી કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, દંડમાં વધારાથી સરકારે પોલીસને પ્રજાને લૂટવાનો પરવાનો આપી દીધો છે. નિયમો કડક કરવામાં આવતા જે વાહનચાલકોને મોટર વ્હીકલ એકટ પ્રમાણેના સર્ટીફિકેટ કઢાવવાના છે, તેમને વિલંબ થઇ રહ્યો છે. સોમવારે કોંગ્રેસે વડોદરા, રાજકોટમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments