Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ચૂંટણી પહેલાં 12200 કરોડના રસ્તાના કામોનું લોકાર્પણ કરાશે; દર મહિને લોકાર્પણ- ખાત મુહૂર્તના કાર્યક્રમો યોજાશે

Webdunia
ગુરુવાર, 12 મે 2022 (12:12 IST)
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યના તમામ વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો ધમધમતા રહે અને લોકોને વિકાસ થઇ રહ્યો છે તેવો અહેસાસ થાય તે માટે રાજ્ય સરકારે 6 મહિના સુધી સતત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ઓક્ટોબર સુધીના 6 મહિનામાં 12200 કરોડ રૂપિયાના રસ્તાના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાશે.

બજેટમાં મંજૂર થયેલા પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવેના કામો સત્વરે હાથ ધરી દેવામાં આવ્યા છે. જે ચાલું કામો છે તે ઝડપથી પૂરાં કરીને તેનું લોકાર્પણ થાય તેની સૂચના આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં આગામી ઓક્ટોબર મહિના સુધી દર મહિને રસ્તાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતુ.માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે કુલ 3721 કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. પંચાયત હસ્તકના રસ્તાના 1816 કરોડના ખર્ચના 1587 કામોનું ખાતમુહૂર્ત અને 1036 કરોડના ખર્ચના 1350 કામોનું લોકાર્પણ કરાશે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવેના 4189 કરોડના ખર્ચના 358 કામનું ખાતમુહૂર્ત તથા 3798 કરોડના ખર્ચના 371 કામોનું લોકાર્પણ કરાશે. અન્ય 5 રોડના ખાતમુહૂર્ત અને 10 રોડના લોકાર્પણ કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments