Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદા બંધના અસરગ્રસ્તોએ પૂનઃવસવાટ અને અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરી

Webdunia
મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:18 IST)
સરદાર સરોવર નર્મદા બંધના ડૂબાણમાં ગયેલા ઓગણીસ ગામોના સ્થળાંતર કરીને ઉભી કરેલી વસાહતોમાં પાયાની સુવિદ્યા થી લઇને તેઓની પાંત્રીસ વર્ષથી વણઉકેલાયેલી માંગણીઓના પગલે નર્મદા બંધના અસરગ્રસ્તો આક્રમક બની રહ્યા છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી પુન: વસવાટ કચેરી તથા નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરની કચેરીને તાળાબંધી કરવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ હોવા છતાં તાળાબંધી કરીને અસરગ્રસ્તોએ સૂત્રોચ્ચાર કરીને જોરદાર વિરોધ પ્રદર્શીત કર્યો હતો. 
આખા પંથકમાં આવેલી વિવિધ અસરગ્રસ્તોની વસાહતોમાં પાણી, વીજળી, સિંચાઇ સહીત રસ્તા અને ખેતીની જમીનના પ્રશ્નો ઉપરાંત વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અસરગ્રસ્તો દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. તેમાં પણ કટ ઓફ ડેટ મુજબ નોકરીની પણ માંગણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ લોકોની અનેક માંગણીઓના ઉકેલ લાવવાના ભાગરૂપે એક પેકેજ પણ જાહેર કર્યુ હતુ. 
સરકારના પ્રતિનિધિ તરીકે છેલ્લા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અસરગ્રસ્તોની સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે વચન પણ આપ્યુ હતુ. આ તમામ બાબતોનો આજ સુધી કોઇ જ અમલ ન થતાં કેવડિયા પંથકના અસરગ્રસ્તો આજે અચાનક આક્રમક બની ગયા હતા. સરકાર અને અધિકારીઓના વલણ સામે પુનઃરોષ વ્યક્ત કરી અસરગ્રસ્તો ભેગા મળી પૂનઃવસવાટ કચેરી અને નર્મદાના અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરીને હંગામો મચાવ્યો હતો. 
આ અંગેની જાણ થતાં એ.એસ.પી અચલ ત્યાગી, પીઆઇ ડી.બી.શુકલા, પીએસઆઈ એસ એ.ડામોર સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે પોલીસની દખલગીરી અને સમજાવટ બાદ કચેરીઓના તાળા ખોલી દેવાયા હતા. આ મામલે પુનઃવસવાટના કમિશનરને જાણ થતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેઓએ આગામી દિવસોમાં આ અંગેની કામગીરી શરૂ કરાશે એમ અસરગ્રસ્તોને જણાવીને મામલો થાળે પાડ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

દાદીમાના નુસ્ખા - નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શું થાય છે, જાણો આવું કરવાથી શું ફાયદો થાય ?

Happy Valentines Day Wishes in Gujarati - વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

આગળનો લેખ
Show comments