Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રથયાત્રા તો નીકળવી જ જોઈએ અને સાથે ઇદે મિલાદ-મોહર્રમનું જુલૂસ નીકળવું જોઈએઃ કોંગી MLAની માંગ

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (08:58 IST)
અમદાવાદમાં રથયાત્રા નીકળવી જોઈએ એવી અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ.જમાલપુરના ધારાસભ્યે એક માધ્યમને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સરકારે જારી કરેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરીને પણ રથયાત્રા કાઢવી જોઈએ, સાથોસાથ ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ, કેમ કે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સમરસતાનું પ્રતીક જોવા મળે છે. લોકો તેમાં ભાઈચારાથી જોડાય છે. ઈદે મિલાદ હોય ત્યારે મહારાજ ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવે છે, એવા સંજોગોમાં કોરોનાની બીજી લહેર-ત્રીજી લહેરની આપણે વાત કરીએ છીએ. આ સમયે આસ્થાના પ્રતીકસમી જગન્નાથની રથયાત્રા ચોક્કસ નીકળવી જ જોઈએ. હું મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે, રથયાત્રા ચોક્કસ નીકળવી જોઈએ.

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments