Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં થયેલી દુર્ઘટનાનો મામલો, રાજ્ય સરકારે સહાય જાહેર કરી

Webdunia
બુધવાર, 21 જૂન 2023 (15:19 IST)
dariyapur building collapse
મુખ્યમંત્રીએ મોડી રાત્રે ટ્વિટ કરીને રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય કરશે
 
અમદાવાદઃ શહેરના દરિયાપુરમાંથી જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું તો 31 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનામાં મૃતકના પરિવાર તેમજ ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે ટ્વીટ કરી લખ્યું છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય કરશે.
 
ઘટનાને પગલે 31 લોકોને નાની મોટી ઈજા
 
મંગળવારે અમદાવાદમાં નિકળેલી 146મી રથયાત્રા દરમિયાન દરિયાપુરના કડીયાનાકા વિસ્તારમાં  આવેલા મકાનનો સ્લેબ બપોરે 3.30ના સુમારે તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી.ઘટનાને પગલે 31 લોકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.દરમિયાન વસ્ત્રાલથી રથયાત્રા જોવા આવેલા 35 વર્ષના યુવાનને ગંભીર ઈજા થતાં તેનુ મોત નિપજયુ હતુ.સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલા દર્દીઓ પૈકી સાત દર્દી 13 વર્ષના જયારે 24 દર્દી 13 વર્ષથી વધુની ઉંમરના છે.એક દર્દીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને ફેકચર થવા ઉપરાંત ચેસ્ટ તથા સ્પાઈન ઈન્જરી થવા પામી છે.
 
એસ્ટેટ વિભાગે ઘટના બાદ નોટિસ ચીપકાવી હોવાની ચર્ચા
 
દરિયાપુરના કડીયાનાકા વિસ્તારમાં મકાનનો સ્લેબ તૂટી પડયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ તરફથી ભયજનક મકાન હોવા અંગેની સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી હતી.જો કે એસ્ટેટ વિભાગે આ ઈમારતમાં અગાઉ ભયજનક હોવા અંગેની નોટિસ લગાવાઈ હોવાનો દાવો કર્યો હતો. રથયાત્રા અગાઉ એસ્ટેટ વિભાગ તરફથી ખાડીયા-1માં 48,ખાડીયા-2માં 132, જમાલપુરમા-10,શાહીબાગમાં-9 ઉપરાંત શાહપુરમાં ચાર તથા દરિયાપુર વોર્ડમાં 84 એમ કુલ મળી મધ્યઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં 287 ભયજનક મકાન કે મકાનનો ભયજનક ભાગ ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી.દરિયાપુર વોર્ડમાં 84 મકાનને ભયજનક હોવા અંગેની નોટિસ અપાઈ હતી.ત્યારે આ મકાન સંદર્ભમાં તંત્રે કોઈ શરતચૂક કરી છે કે કેમ? એ બાબત સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બનવા પામી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

National Postal Worker Day- રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસનુ ઈતિહાસ અને રોચક તથ્ય, પોસ્ટ ઓફિસ ની જાણકારી,

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments