Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્માવતી ફિલ્મના વિરોધમાં શંકરસિંહ વાઘેલા ટેકો આપશે

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (15:32 IST)
રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જન વિકલ્પ મોરચાના પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને અત્યાર સુધી અન્યાય જ થયો છે. જો જનવિકલ્પની સરકાર બનશે તો રાજકોટને સૌરાષ્ટ્રનું સચિવાલય બનાવવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ ગામોના તમામ સરપંચોને ખર્ચ પેટે રૂપિયા 5000 આપવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના યોગ્ય ભાવો નથી મળતાં.

સરકારે તાત્કાલિક કપાસ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ અને મગફળીના 1200 તેમજ કપાસના 1500 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળવો જોઈએ. આ તકે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતી અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ સાથે ચેડાં ન કરો. જો આવું થશે તો સમાજના આગેવાનો ચોક્કસ વિરોધ કરશે. એટલું જ નહીં તેમના આ વિરોધમાં મારો પણ પૂરતો ટેકો મળશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments