Biodata Maker

રાજકોટ: પાયલોટની હઠને કારણે ફ્લાઈટ ન ઉડી

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (10:54 IST)
Air India ની ફ્લાઈટના પાયલોટની હઠના કારણે ફ્લાઈટ ન ઉડી. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. 
 
શું છે સમગ્ર મામલો 
બન્યુ એમ હતું કે, ગત રવિવારે રાજકોટ એરપોર્ટ પર રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય પર હતી. દિલ્હીની ફ્લાઈટ રાજકોટ લેન્ડ થયા બાદ મુસાફરો પ્લેનમાંથી ઉતરી ગયા હતા અને દિલ્હી જનારા મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા. પરંતુ અહી જોવા જેવી થઈ હતી. કારણે દિલ્હીથી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની આ ફ્લાઈટના મુખ્ય પાઇલટના કામના કલાકો પૂરા થઇ ગયા હતી. તેની શિફ્ટ પૂરી થઈ હતી. તેથી તેણે ફરીથી ફ્લાઈટ દિલ્હી લઇ જવાની ના પાડી હતી. 
 
પાઈલટ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. આખરે આખી ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ હતી. અંતે રવિવારે રાત્રે 11 વાગ્યે આ ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા હતા. આખરે રાતે 11 વાગ્યે મુસાફરો અટવાયા હતા. જેથી નિર્ણય લેવાયો કે, સોમવારથી દિલ્હીથી બીજો પાયલટ આવે ત્યારે જ ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, હજી સુધી આ ફ્લાઈટે ઉડાન ભરી નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

સનીની સાવકી માતા હેમા માલિની સાથે 1 કલાકની મુલાકાતમાં શુ થઈ વાત ? પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઘરે પહોચ્યા

જેસલમેર માં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments