Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ રથયાત્રામાં મહાદેવનું અઘોરી નૃત્ય રજૂ કરાયુ, વૃંદાવનની રાસ મંડળી જોડાઈ

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2024 (17:43 IST)
શહેરમાં આજે આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના મંદિરેથી સતત 18માં વર્ષે ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેની પાહિંદ વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. રથયાત્રાના પ્રસ્થાન પહેલા રાજકોટના રાજવી માંધતાસિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને બાદમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં શહેરના હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવપૂર્વક જોડાયા હતા અને જય જગન્નાથના નાદ ગૂંજી ઉઠ્યા હતા. 
 
ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે છે
રાજકોટની રથયાત્રામાં આ વખતે 25થી વધુ ફ્લોટ્સ જોડાયા હતા. તેમાં મુખ્ય આકર્ષણ અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસ મંડળી, સનાતની બુલડોઝર અને ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી રહ્યા હતા.રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહન દાસજી જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હિન્દુ ધર્મના સનાતનની પ્રતિક ધર્મયાત્રા માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ આજે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ભગવાન જગન્નાથ તમામ લોકોના દુઃખો દૂર કરશે. ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે છે. 
 
અઘોરી સાધુઓનું ગ્રુપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું
રાજકોટમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથથી ભવ્ય રથયાત્રા નીકળે છે. 25 જેટલાં રથ ઉપરાંત લોકો આ રથયાત્રામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે જોડાયા હતા. અંદાજે 2,000થી વધુ શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં પગપાળા જોડાયા હતા. 21 કિલોમીટરની રથયાત્રા રાજકોટ શહેરમાં ફરી સાંજે 7 વાગ્યે આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે. રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે આ રથયાત્રામાં વૃંદાવનની રાસ મંડળી જોડાઈ હતી. ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી અને અઘોરી સાધુઓનું ગ્રુપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments