Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ સિવિલનું તંત્રઃ મૃતદેહ સોંપી દીધા બાદ અંતિમવિધિમાંથી મૃતદેહ પરત મંગાવ્યો

Rajkot news- Civil Hospital Managment
Webdunia
શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (15:35 IST)
રાજકોટ સિવિલ હૉસ્પિટલની એક પછી એક બેદરકારી બહાર આવી રહી છે. અકસ્માતમાં મોતને ભેટેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના પરિવારજનોને પોસ્ટ મોર્ટમ વગર જ સોંપી દેવામાં આવ્યો છે. જોકે, બાદમાં પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને અંતિમવિધિ માટે ગોંડલ પહોંચી ગયા હતા. બટુકભાઈ નામના વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. બટુકભાઈનો મૃતદેહ સોંપતી વખતે હૉસ્પિટલે એક ચીઠ્ઠી પણ આપી હતી. પરંતુ મૃતદેહ 40 કિલોમીટર દૂર પહોંચી ગયા બાદ હૉસ્પિટલને પોસ્ટ મોર્ટમ ન થયાનું ધ્યાનમાં આવ્યું હતું અને અંતિમવિધિમાંથી મૃતદેહ પરત મંગાવ્યો હતો. તંત્રના આવા આદેશ બાદ પરિવારમાં રોષની લાગણી ફેલાઈ હતી. અકસ્માત બાદ દર્દીનો મૃતદેહ સોંપતી વખતે પરિવારના લોકોને સિવિલ તરફથી ડિસ્ચાર્જની એક ચીઠ્ઠી પણ આપવામાં આવી હતી. જે બાદમાં પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવ્યો હતો. આ મામલે જ્યારે મૃતકના પરિવારજનોએ હૉસ્પિટલ તંત્રને ફોન કર્યો ત્યારે તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ વગર મૃતદેહ સોંપી શકાય નહીં. આથી પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ પરત લાવવો પડશે. પરિવારજનોએ જ્યારે કહ્યુ કે, તમે કાયદેસરની વિધિ કરીને મૃતદેહ સોંપ્યો છે તો શા માટે પરત મંગાવી રહ્યા છો? જેના જવાબમાં તંત્રએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે પોસ્ટ મોર્ટમ થવું જોઈએ. આ ઉપરાંત તમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો આ પ્રક્રિયા પૂરી કરવી પડશે. પરિવારે જ્યારે કહ્યું કે, તમે અમને ચીઠ્ઠી લખીને જ રજા આપી છે. આ ઉપરાંત અમે મૃતદેહને બળજબરીથી પણ નથી લઈ ગયા. આ વખતે હૉસ્પિટલ તંત્રએ કહ્યુ હતું કે મોતનું કારણ અને બધું લખવું પડે છે.મૃતક બટુકભાઈના ભાઈએ જ્યારે રાજકોટ સિવિલના મેડિકલ ઓફિસરને જ્યારે ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો તમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો મૃતદેહ પરત લાવવો પડશે. મૃતકનાભાઈએ જ્યારે ડેથ સર્ટિફિકેટ નથી જોઈતું તેવી વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. આ માટે તમારે મૃતદેહ લાવવો પડશે. મૃતકના ભાઈએ જ્યારે દલીલ કરી કે, તમામ પ્રક્રિયા વગર શા માટે મૃતદેહ સોંપી દેવામાં આવ્યો ત્યારે એમઓ તરફથી ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો હતો કે, હું આ બાબતમાં કંઈ જાણતો નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments