Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં બે એસટી બસનો ગોઝારો અકસ્માતઃ 5ના મોત, 40થી વધુ ઘાયલ

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (12:44 IST)
રાજકોટના વાંકાનેર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વાંકાનેરના ખેરવા પાસે 2 એસટી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા, જ્યારે 40થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ- વાંકાનેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આજે સવારે વાંકાનેર રાજકોટ રૂટની એસટી બસને ખેરવા પાસે આવેલ ગોળાઇમાં સામેથી આવતી બીજી એસટી બસ સાથે અથડાતાં અંદાજિત 40 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા થયેલ છે . અને 5ના મોત છયા છે. ઘાયલોને વાંકાનેર સરકારી હોસ્પિટલ તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.એસટી બસના બંને ડ્રાઈવરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી એક ડ્રાઈવરને તો બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. આ ગંભીર અકસ્માતની જાણ થતા વાંકાનેર એસટી ડેપોના અધિકારીઓ બનાવ સ્થળે હાજર થઈ ગયા હતા. તેમજ ગ્રામજનોએ આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં સ્થાનિકો સહિત તંત્ર કામે લાગી ગયુ હતુ.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments