Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજકોટના પ્રત્યેક નાગરિકને ૨૯ જુને સાંજે સાડા સાતથી આઠ વચ્ચે ઘરમાં દીવો પ્રગટાવવા પ્રેમભર્યો અનુરોધ

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (17:13 IST)
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટવાસીઓ માટે ૨૯ જુનના દિવસને સોનાના સૂરજ સમાન ગણાવ્યો હતો. આજી નદીમાં આવેલા નર્મદા નીરે રાજકોટને પાણી-પાણી કરી મુકયું છે, ત્યારે નર્મદાના વારિને વધાવવા ખાસ રાજકોટ પધારતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના રાજકોટના રાજમાર્ગો પર યોજાનારા રોડ શોમાં પણ અચૂક ભાગ લેવા મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના રહીશોને મીઠાશભર્યું ઇજન પાઠવ્યું હતું.
 
રાજકોટની વિવિધ ખાસિયતોથી સુપેરે પરિચિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનને જીવનભરનું સંભારણુ બનાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ રાજકોટના નાગરિકોને હાકલ કરી હતી. નર્મદાનું પાણી રાજકોટવાસીઓની પીવાના પાણીની જરૂરિયાત તો પુરી કરશે જ, તદુપરાંત, રાજકોટ જિલ્લા તથા શહેરના આસ-પાસના ગામડાંઓને પિયત માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી પ્રાપ્ત થશે, એવી રાજકોટવાસીઓને શ્રી રૂપાણીએ બાંહેધરી આપી હતી.
 
એક સમયમાં પાણીની કારમી અછત ભોગવતા રાજકોટ શહેર તથા જિલ્લાને માં નર્મદા આવનારા સૈકાઓ સુધી પાણી પૂરૂં પાડશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીની વાણીમાંથી સ્પષ્ટ છલકાતો હતો. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રજા જોગ નિવેદનમાં ખાસ ઉમેર્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ રાજકોટના પ્રતિનિધિ તરીકે તેઓ રાજકોટની જનતાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાજકોટ મુલાકાતને ચિરસ્મરણીય અને સીમાચિન્હ સ્થાપક બનાવવા હૈયાના હેતથી નિમંત્રણ પાઠવે છે. તમામ રાજકોટવાસીઓને સાંજે સાડા સાતથી આઠ વચ્ચે પોતાના ઘરમાં એક દીવો અચૂક પ્રગટાવવા તેમણે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments