Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસ સહિતના નેતાઓ રાહુલને ઇચ્છે છે નવા અધ્યક્ષ તરીકે, લેટરબોમ્બમાં થયો ઘટસ્ફોટ

Webdunia
સોમવાર, 24 ઑગસ્ટ 2020 (10:36 IST)
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું આપશે અને નવા અધ્યક્ષકની નિમણૂંક કરવામાં આવશે. ત્યારે પ્રશ્ન એ છે કે આગામી કોંગ્રેસ અધ્યક્ષ કોન બનશે. એક તરફ રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ છે તે અધ્યક્ષ બનવા નથી માંગતા. તો બીજી તરફ તેમની પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને જ અધ્યક્ષ પદની કમાન સંભાળે એવું ઇચ્છી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. 
<

कोंग्रेस पक्ष ने राष्ट्रनिर्माण मे कई बलिदान दिए है।
#सोनिया जी और #राहुल जी के नेतृत्व ने सिद्धांतो,उसूलों और नीतियों को महत्व दिया है #सोनिया जी से हमारी विनंती है की वो पद पर बने रहे,अगर नेतृत्व परिवर्तन की बात है तो #राहुल जी अध्यक्ष पद स्वीकार करे, @INCGujarat का प्रस्ताव। pic.twitter.com/ypiQdnTigN

— Amit Chavda (@AmitChavdaINC) August 23, 2020 >
તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો તે જ પ્રમાણે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોતાના એક અલગ અંદાજમાં ટ્વિટ કરીને રાહુલને અધ્યક્ષપદ સોંપવાની માગણી કરી છે.
 
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખે પણ આજ માંગણી પુનરાવર્તિત કરી છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ ગણાતા તારીક અનવરે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી જ હશે.
 
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના મહારાષ્ટ્રના સાંસદ રાજીવ સાતવે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાહુલને અધ્યક્ષ બનાવવાની વાત તો કરી જ છે પરંતુ તેમણે ગંભીર આક્ષેપ પણ કર્યા છે.
<

""गांधी अतीत ही नहीं, भविष्य भी है""

आदरणीय सोनिया जी का "मार्गदर्शन" एवं श्री
राहुल जी का "हौसला" ही हमारी हर चुनौती में
उम्मीद की किरण है..,

देश जिस संकटपूर्ण दौर से गुज़र रहा है उससे
छुटकारा पाने के लिए पुरा 'हिन्दुस्तान' आपके
साथ हैं, हम नहीं डरेंगे, लडते रहेंगे ।

— Paresh Dhanani (@paresh_dhanani) August 23, 2020 >
રાજીવ સાતવે પત્રમાં કેટલાક કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસને કમજોર બનાવવાનું ષડયંત્ર રચતા હોવાની વાત કરી છે. 23 નેતાઓ દ્વારા કોંગ્રેસને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 
 
ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપરાંત પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપે બધેલે કહ્યું કે રાહુલને આગળ આવીને જવાબદારી લેવી જોઇએ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments