Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનું અનુમાન, જાણો શું તમારા વિસ્તારની સ્થિતિ

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (09:19 IST)
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે. 10 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ પડશે.
 
11 જૂને અહીં પડશે વરસાદ
11મી જૂને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડશે.
 
12 જૂને અહીં પડશે વરસાદ
12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડશે, ત્યારબાદ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ સાથે પવન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જશે, જ્યારે જ્યાં વરસાદની સંભાવના છે ત્યાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે.
પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે રાજ્યનું વાતાવરણ બદલાયું છે.
 
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડાઓમાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લીલીયા તાલુકાના તલાવડા ગામે ભારે વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી ભરાયા છે. હડીડા અને આજુબાજુના લીખીલા, સાપરી સહિતના ગામોમાં ભારે વરસાદ થયો હતો. આથી સાવરકુંડલાના નળ ગામમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments