Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2024 (08:05 IST)
heavy rain in gujarat
કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. જેમાં પોરબંદરમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દ્વારકા શહેરમાં 2 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ થયો.. સાંજે 4થી 6 વાગ્યા સુધી દ્વારકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો. જેના કારણે દ્વારકાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, મટકી ચોક અને તોતાત્રી મઠમાં પાણી ભરાયા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે વરસાદને પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. ભાટીયાથી હર્ષદ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. રોડ પરના વરસાદી પાણીમાં રીક્ષા ફસાઈ હતી. સ્થાનિકોએ રીક્ષાને ટ્રેકટરની મદદથી બહાર કાઢી.

<

Saurashtra

Junagadh Porbandar and #Dwarka in Saurashtra are seeing continuous heavy #rain since night #gujratrain #gujratwether pic.twitter.com/Ca1dHYHRMj

— Weatherman Uttam (@Gujarat_weather) July 19, 2024 >
 
 છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ટ્વેટન્ટી-ટ્વેન્ટી અંદાજમાં વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
 
ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.  ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર એસટી બસો બંધ કરાઇ છે. પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો પરેશાન

પીએમ મોદી દુર્ગા પૂજા પહેલા બંગાળને વધુ ત્રણ વંદે ભારત ભેટ આપશે

ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો

દંપતી તેમના બે વર્ષના પુત્ર સાથે રીલ બનાવી રહ્યું હતું, ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા

આગળનો લેખ
Show comments