Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહને હત્યાના આરોપી કહેવા અંગે રાહુલ ગાંધી સામે ફરિયાદ

અમિત શાહ ભાજપ
Webdunia
શનિવાર, 27 એપ્રિલ 2019 (12:30 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનિની વધુ એક ફરિયાદ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કરવામાં આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે મધ્યપ્રદેશના જબલપુરમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને હત્યા આરોપી ગણાવતું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ.ડી.સી. બેન્કે પણ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે.

ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે માનહાનિની ફરિયાદમાં રજૂઆત કરી છે કે ૨૩મી એપ્રિલના રોજ જબલપુરમાં યોજાયેલી જાહેર સભામાં અમિત શાહ હત્યાના આરોપી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનું આ નિવેદન તથ્યથી વિપરિત છે. આ પ્રકારના નિવેદનથી લોકોમાં ખોટો સંદેશો વહેતો થાય છે અને પક્ષની છબી ખરડાય છે.

અરજદારની રજૂઆત છે કે તેઓ પક્ષના અધિકૃત સભ્ય હોવાથી તે આ ફરિયાદ નોંધાવી શકે છે. તેમની તરફેના બે સાક્ષીઓ કોર્ટ સમક્ષ હોવાથી તેની જુબાની પણ લેવામાં આવી હતી. રાહુલ ગાંધીને સામેની ફરિયાદમાં કોર્ટે પગલાં લેવા કે નહીં અને તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવવું કે નહીં તે અંગે ૩૦મી એપ્રિલની સુનાવણીમાં કોર્ટ નિર્ણય જાહેર કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments