Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની કોલેજોમાં હવે રેગિંગ કરવું ભારે પડશે, રાજ્ય સરકાર જાહેરનામુ લાવશે

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2024 (17:49 IST)
ગુજરાતની કોલેજોમાં થતી રેગિંગની ઘટનાઓ અંગે હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે MCI, AICTE અને UGC એ રેગ્યુલેશન્સ બનાવ્યા છે જેના ભંગ બદલ સજાની જોગવાઈ છે. સરકારે રજૂ કરેલા જવાબમાં અનુક્રમણિકા ન હોવાથી કોર્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ 2 જજની કમિટી બનાવશે, જે ફાઈલિંગને સુધારવા સૂચનો આપશે.
 
રેગિંગ મુદ્દે રાજ્ય સરકારે સર્ક્યુલર જાહેર કર્યો છે
એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટસ માટે રાજ્ય સરકાર નિયમનકારી જાહેરનામું બહાર પાડશે. શિક્ષણ સંસ્થાના હોદ્દેદારો તેની કડક અમલવારી માટે જવાબદાર રહેશે. કોર્ટે આ રેગ્યુલેશન મુદ્દે કોર્ટ મિત્ર અમિત પંચાલના સૂચનો લેવા પણ સરકારને જણાવ્યું હતું.અગાઉની સુનાવણીમાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે રાજ્ય સરકારે સર્ક્યુલર જાહેર કર્યો છે પરંતુ, તેને લઈને રાજ્યમાં કોઈ કાયદો બન્યો નથી. 
 
શૈક્ષણિક સંસ્થાનો માટે ગાઇડલાઈન જાહેર કરાઈ છે
સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ UGC અને AICTE દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો માટે ગાઇડલાઈન જાહેર કરાઈ છે. દેશમાં તામિલનાડુ, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ગોવા, તેલંગાણા, છત્તીસગઢ જેવા રાજ્યોમાં રેગિંગ સામે કાયદા બન્યા છે. આથી, કોર્ટ મિત્ર દ્વારા રાજ્યની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને લઈને નિયમ હોય તેવી માંગ કરાઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments