Biodata Maker

વડોદરા સ્ટેશન પર ફિલ્મના પ્રમોશનની ઘટનામાં શાહરુખખાન સામેની કાર્યવાહી પર સ્ટે

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (12:08 IST)
વડોદરા રેલવે સ્ટેશન પર ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજવા અંગે  અભિનેતા  શાહરૃખખાન સામે કાર્યવાહી કરવા માટે વડોદરાની કોર્ટમાં થયેલી ફરિયાદ પર હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે અને વધુ સુનાવણી ૨૫ મી સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કર્યું છે.  શાહરૃખખાન પોતાની રઇસ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યો ત્યારે રેલવે સ્ટેશન પર થયેલી ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે જીતેન્દ્ર સોલંકી નામના વ્યક્તિએ શાહરૃખખાનને જવાબદાર ગણીને તેની સામે કાર્યવાહી કરવા માટે વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રદ્દ કરવા માટે શાહરૃખખાને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આ પિટિશનની આજે પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાની કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવા સામે ગુજરાત હાઈકોર્ટે  સ્ટે ફરમાવ્યો છે. આ અગાઉ એક અરજીની તપાસમાં વડોદરા રેલવે પોલીસે શાહરૃખખાનને જવાબ લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. તેની સામે પણ શાહરૃખખાને હાઇકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટે   કાર્યવાહી સામે સ્ટે ફરમાવેલો છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

22 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ, સૌથી લાંબી રાત

National Mathematics Day 2025 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?

Winter solstice Day 2025: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

આગળનો લેખ
Show comments