Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat News - સુરતમાં ટપોરીઓનું જાહેરમાં સરઘસ

Webdunia
શનિવાર, 15 જુલાઈ 2023 (10:56 IST)
surat news
સુરતમાં માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યાં છે. પોલીસના હાથે પકડાતાં જ જાહેરમાં મારામારી કરનારા આ તત્વો બે હાથ જોડીને લોકોની માફી માગતા સામે આવ્યાં હતાં. પાંડેસરામાં ઘરમાં ઘૂસીને તલવાર વડે લૂંટ ચલાવનારા બે આરોપીને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેના સ્થાનિક વિસ્તારમાં જ લોકોની માફી મંગાવી તેમની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કરાયો હતો.
 
પોલીસની આ કામગીરીને લોકો આવકારી પણ રહ્યા છે. ત્યારે હવે પાંડેસરામાં ટપોરીઓએ તલવાર સાથે ઘરમાં ઘૂસી યુવકને લૂંટ્યો હતો. અવધેશ સહાની, રણજીત કાલીયા અને વિકાસ ઉર્ફે ટેટ્ટ નામના ત્રણ માથાભારે ઈસમો તલવાર સાથે યુવકના ઘરમાં ઘૂસી ધાક ધમકી આપી હતી અને બાઈકની તોડફોડ કરી હતી. આ ઉપરાંત યુવકના ગળામાંથી 54 હજારની કિંમતની સોનાની ચેનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પાંડેસરા પોલીસે ત્રણ પૈકી અવધેશ સહાની, રણજીત કાલીયાની ધરપકડ કરી હતી અને પાંડેસરા પોલીસ દ્વારા તેમનું સરઘસ કઢાયું હતું. 
 
લોકોના મનમાંથી માથાભારે તત્વોનો ભય કાઢવા પાંડેસરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. સરઘસ કાઢ્યું ત્યારે આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માગી હતી. જેથી પાંડેસરા વિસ્તારના લોકોએ પોલીસની આ કામગીરી બિરદાવી હતી.સાથે જ આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments