Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટના PSI મેહૂલ મારુએ મોડી રાત્રે આપઘાત કર્યો

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2017 (14:31 IST)
રાજકોટના PSI મેહૂલ મારુએ રાજકોટમાં મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો. તેમણે રાત્રે જ ગળે ફાંસો લગાવીને જિંદગીને ટૂંકાવી દીધી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી. તેમની સામે રાજમોતી મીલના બ્રાંચ મેનેજરની હત્યા સંદર્ભે કોર્ટના આદેશ મુજબ એસીપી દ્વારા તપાસ ચાલુ હતી. તો વર્ષની શરૂઆતમાં પ્રેમિકા ઘરે જઈને ધાંધલ ધમાલ કરી હાથની નસ કાપી નાખી હતી.

આપઘાત કરી લેનાર પીએસઆઈ મેહૂલ મારુ પરિણીત હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ રાજકોટ રહેતા હતા. મોડી રાત્રે આપઘાત બાદ તેમના મૃતદેહને તેમના વતન પાલિતાણા ખેસડાવામાં આવ્યો હતો. પીએસઆઈએ રાજકોટના રામનાથ પરા પોલીસ લાઈનમાં આવેલા તેમના નિવાસે આપઘાત કરી લેતા તેમનું રાતોરાત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરીને તેમના મૃતદેહને પાલિતાણામાં આવેલી યોગેશ્વર સોસાયટી સ્થિત તેમના નિવાસે ખસેડવામાં આવ્યો હતો. પાલિતાણામાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ઉપલેટામાં પ્રેમિકાના ઘરે હંગામો કરનાર રાજકોટના PSI મારુને રાજકોટ પોલીસ કમિશ્નરે સસ્પેન્ડ કર્યો હતા. આ સિવાય તેઓ રાજમોતી ઓઈલ મિલના અમદાવાદના મેનેજર દિનેશ દક્ષિણી કેસમાં ફસાયા હતા.

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments