Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવાસ મુદ્દે આંદોલનઃ વડોદરાથી વિસ્થાપિતો પગપાળા ગાંધીનગર જવા નિકળ્યા

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (13:01 IST)
વડોદરા શહેરના સંજયનગરના વિસ્થાપિતોએ આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું છે. સંજયનગરના વિસ્થાપિતો આજે આંદોલન કરવા માટે પગપાળા ગાંધીનગર જવા નીકળ્યા હતા. જોકે પોલીસે પગપાળા નીકળેલા 100થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી આવાસો નહીં ફાળવવામાં આવતા અને 7થી 8 મહિનાનું બાકી ભાડું આપવામાં નહીં આવતા વારસીયા વિસ્તારના સંજયનગરના વિસ્થાપિતોએ છેલ્લા દોઢ મહિનાથી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. હવે તેઓ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. છેલ્લા ઘણા સમયથી આવાસો અને બાકી ભાડા માટે આંદોલન કરી રહેલા સંજયનગરના વિસ્થાપિતો આજે પગપાળા ગાંધીનગર મુખ્યમંત્રીને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરવા જવા માટે નીકળ્યા હતા. જોકે પોલીસ કાફલાએ સંજયનગરના વિસ્થાપિતોને ઘેરી લઇને આંદોલન વેગ પકડે તે પહેલા જ સંજયનગરના અગ્રણી સીમાબેન રાઠોડ અને પ્રભુભાઈ સોલંકી સહિત 100થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી હતી. જેને પગલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ પણ વારસિયા પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને તંત્ર પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા આંદોલનને અટકાવી રહ્યા હોવાંના આક્ષેપ સાથે તંત્ર સામે આકરા પ્રહારો કર્યાં હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments