Webdunia - Bharat's app for daily news and videos

Install App

Photos - આજથી પ્રવિણ તોગડિયાનું ઉપવાસ આંદોલન, ઉપવાસ સ્થળે સમર્થકો આવ્યા

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:50 IST)
વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છેડો ફાડનારા વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવીણ તોગડિયાએ મંગળવારથી અમદાવાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ એવું ખુદ એમણે રવિવારે જાહેર કર્યું હતું, પરંતુ હવે ઉપવાસનું સ્થળ બદલીને પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદની કચેરી સામે રખાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. BJPના નેતાઓ પ્રવિણ તોગડિયાને મળવા પાલડી વણીકર ભવન પહોંચ્યા હતા.

BJPના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ વણીકર ભવન આવ્યા હતા.  ઉપવાસની જાહેરાત બાદ BJPના પ્રથમ કોઈ નેતા પ્રવિણ તોગડિયાને મળવા આવ્યા હતા. ડૉ.તોગડિયાના ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 2 PI અને 5 PSI સહિત 70થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. હજી સુધી પોલીસ પરમિશનની લેખિત મંજૂરી નથી મળી, પરંતુ ડૉ. પ્રવિણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ છે. જેમાં વિહીપના અનેક હોદ્દેદારો ઉપવાસ આંદોલનમાં જોડાશે. VHPમાંથી હકાલપટ્ટી બાદ પ્રવિણ તોગડિયાએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. જેના માટે બત્રીસી ભવન અને જીએમડીસી ગ્રાઉન્ડની પરમિશન મળી ન હતી. તેથી હવે પાલડી વણીકર ભવન ખાતે તેઓ ઉપવાસ કરશે.

તોગડિયાએ અનિશ્ચિત સમય માટે ઉપવાસની જાહેરાત કરી છે. જેમાં તેમને કેટલાક સાધુ સંતોનું પણ સમર્થન મળ્યું છે. તોગડિયા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ જોડાશે. ઉપવાસ સંદર્ભે પોલીસ પરવાનગી લેવાઈ છે કે કેમ તેની પૃચ્છામાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, ‘મારે આ અંગે પોલીસ સાથે વાતચીત થઈ છે એટલે એ પ્રશ્ન નહીં રહે.’ નિયમ પ્રમાણે જો પોલીસ પરવાનગી ના હોય તો ડો.તોગડિયા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે એવી શક્યતા નકારી શકાતી નથી. ડો. તોગડિયાની મુખ્ય માગણીઓ એ છે કે, અયોધ્યામાં રામમંદિર બાંધવા બાબતમાં, કોમન સિવિલ કોડ લાવવા બાબતમાં તથા ગૌરક્ષા બાબતમાં સંસદમાં નવા કાયદા પસાર કરવાના ભાજપે આપેલા વચનોનું તત્કાળ પાલન કરવામાં આવે, તદુપરાંત દર વર્ષે ૨ કરોડને રોજગારી આપવાના, બાંગ્લાદેશીઓને ખદેડવાના તથા મૂળ કાશ્મીરીઓને કાશ્મીરમાં પુનઃ વસાવવાના ભાજપે આપેલા વાયદાઓનો પણ અમલ કરવામાં આવે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ડો. પ્રવીણ તોગડિયાના ઉપવાસ અંગે જણાવ્યું છે કે, તોગડિયાએ રામમંદિર માટે ઘરે ઘરેથી એક રૂપિયો અને ઈંટો ઉઘરાવી હતી. રામમંદિરના નામે એ બધું વર્તમાન વડા પ્રધાનને ખોળે ધર્યું હતું અને હવે તેનો હિસાબ માગવા તોગડિયા ઉપવાસ પર ઊતરી રહ્યા છે. કેન્દ્રમાં ચાર વર્ષથી ભાજપની સરકાર બની છે પરંતુ રામમંદિર કેમ બનતું નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

વધુ જુઓ..

નવીનતમ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

આગળનો લેખ
Show comments