Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રશાંત ભૂષણે કરી ભગવાન કૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી, કેસ નોંધાયો

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (10:03 IST)
વરિષ્ઠ અધિવક્તા અને સામાજીક કાર્યકર્તા પ્રશાંત ભૂષણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એંટી રોમિયો દળોને એંટી કૃષ્ણ સ્કવાયડ કહેવાનો પડકાર આપીને એકવાર ફરી વિવાદોથી ઘેરાય ગયા છે. આ મામલે એક કોંગ્રેસ નેતાની લેખન સામગ્રી પર તેમના વિરુદ્ધ હજરતગંજ પોલેસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 
 
ભૂષણે પોતાના અધિકારિક ટ્વિટર  હેંડલ પરથી કરવામાં આવેલ એક ટ્વીટમાં કહ્યુ કે રોમિયોએ ફક્ત એક સ્ત્રી સાથે પ્રેમ કર્યો હતો. જ્યારે કે કૃષ્ણ તો લેજેંડ્રી ઈવ ટીઝર હતા. શુ આદિત્યનાથમાં દમ છે કે તે પોતાના પ્રહરી દળોને એંટી કૃષ્ણ સ્કવાયડ કહે. આટલુ જ નહી ભૂષણે આગળ કહ્યુ કે આપણે બધા બાળ કૃષ્ણ દ્વારા ગોપીયો સાથે રાસલીલાના કિસ્સા સાંભળીને મોટા થયા છે. એંટી રોમિયો સ્કવાયડના ગઠણ પાછળનો તર્ક આ અઠખેલીનુ અપરાધીકરણ કરી દેશે.  શુ તેનાથી ભાવનાઓ આહત નહી થાય. 
 
આ મામલે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જીશાન હૈદરની લેખન સામગ્રી પર ભૂષણ વિરુદ્ધ હજરતગંજ કોતવાલે4એમાં કેસ નોંધાયો છે. અધીક્ષક મંજિલ સૈનીએ જણાવ્યુ કે ભૂષણ વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની ધારા 295 (ધાર્મિક ભાવનાઓને નુકશાન પહોંચાડવુ) અને 153 એ (ધર્મના આધાર પર વૈમનસ્ય ફેલાવવુ) ના હેઠળ કેસ નોંધાયો છે. કોંગ્રેસ પ્રવક્તા હૈદરે કહ્યુ કે મે ભગવાન કૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરનારા પ્રશાંત ભૂષણ વિરુદ્ધ પ્રમાણપત્ર આપ્યુ છે. આ હિન્દુ કે મુસ્લિમનો સવાલ નથી. ભૂષણના ટ્વીટથી દુનિયાભરના કરોડો કૃષ્ણ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments