Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ ડીજીપી પી.પી. પાંડેય ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મુક્ત થઈ ગયા

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (16:40 IST)
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપી પી.પી. પાંડેય હવે આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે. પી.પી. પાંડેયએ  કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. તેમણે કરેલી ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે મંજુર કરી હતી. જુન-2004માં ઇશરત જહાં સહિત ચાર વ્યકિતઓ કોતરપુર વોટર વર્કસ પાસે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. ગુજરાત પોલીસે આ ચારેય મૃતકો લશ્કર-એ-તૌઈબાના આંતકવાદીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હોવાનો દાવો કર્યો હતો. આ એન્કાઉન્ટર ફેક હોવાનું કહીને પી.પી.પાંડેને પણ તેમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. બનાવટી એન્કાઉન્ટર કેસમાં પાંડે 18 માસનો જેલવાસ ભોગવી ચૂક્યા છે.ઇશરત કેસમાં ધરપકડ બાદ પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ તેમને સર્વિસમાં પરત લેવાયા હતા. ત્યાર બાદ સરકારે નિવૃત્તિ બાદ તેમને એક્ષટેન્શન આપીને ગુજરાતમાં કારોબારી ડીજીપી બનાવી દીધા હતા. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તેનું એક્ષટેન્શન રદ્દ કરી તાત્કાલિક હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments