Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ

Webdunia
બુધવાર, 24 જૂન 2020 (17:38 IST)
શહેરમાં કોરોનાની મહામારીને પગલે હાઇકોર્ટતરફથી રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના પગલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે 142 વર્ષની પરંપરા તૂટી હતી. બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસજી એ મોટો ધડાકો કરતા કહ્યું છે કે, તેમની સામે રમત રમવામાં આવી છે. તેમને છેલ્લી ઘડી સુધી રથયાત્રા નીકળશે તે માટેનો ભરોસો આપવામાં આવ્યો હતો. આ મામલે હવે કૉંગ્રેસના આગેવાનોએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા સરકારે જનતાને છેતરી હોવાની લાગણી વ્યક્ત કરી છે.આ મામલે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે કે, "રથયાત્રાની તારીખ નક્કી હતી તો શું કામ સરકારે આગોતરો સર્વે કરી, અહેવાલ અને આયોજનની માહિતી સાથે કોર્ટમાં મંજૂરી માટે રજૂઆત ન કરી?  મહંતની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે." આ મામલે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ખૂદ ભગવાન ભાજપથી છેતરાયા છે. "143 વર્ષની ઐતિહાસિક પરંપરા તૂટ્યાનું સૌને અત્યંત દુઃખ છે પરંતુ, છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનું કામ શા માટે અને કોના ઇશારે કર્યું હશે?"

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments