Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવવાના પોલીસવડાના આદેશને 17 પોલીસ કર્મીઓ ઘોળીને પી ગયા

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (13:52 IST)
4 પીએસઆઈ અને 17 કોન્સ્ટેબલ સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ
પોલીસ વડાએ પરિપત્ર કરીને યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવવાનો આદેશ કર્યો હતો
 
 ગુજરાતમાં હવે પોલીસકર્મીઓને વર્દી પહેરીને રિલ્સ બનાવવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. તે ઉપરાંત તેઓ વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ રાખીને વીડિયો પણ નહીં બનાવી શકે. રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરીને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે પોલીસવડાના આદેશને ઘોળીને પી જનારા પોલીસ કર્મીઓ સામે હવે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા મુદ્દે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. જેમાં 17 પોલીસ કર્મીઓ સામે એક્શન લેવામાં આવી શકે છે. 
 
વર્દીમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ ફરમાવાયો
પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરનારા 17 પોલીસ કર્મીઓ સામે એક્શન લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ પોલીસ કર્મીઓમાં 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ પોલીસ કર્મીઓ સામે પોલીસ વડાના આદેશ પ્રમાણે આચારસંહિતાના ભંગ બદલ પગલાં ભરવામાં આવશે. પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે પોલીસકર્મીઓ પર વર્દીમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ફરજ પર અથવા તો ફરજ સિવાયના સમયે પણ વર્દીમાં રિલ્સ નહીં બનાવવાનો આદેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments