Webdunia - Bharat's app for daily news and videos

Install App

Photos-ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મોદીએ ગુજરાતની ક્ષમતા પર વિશ્વાસ બતાવ્યો

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2017 (10:32 IST)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિ ગ્રસ્ત  વિસ્તાઇરો માટે ભારત સરકાર તરફથી ગુજરાત ડિઝાસ્ટ્ર રીલીફ ફંડ માટે રૂા. ૫૦૦ કરોડથી વધુ રકમની તાત્કાંલિક રાહત આપવાની જાહેરાત કરી છે. આજે ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિ.ગ્રસ્તક વિસ્તા રોની મુલાકાત લીધા પછી અમદાવાદ હવાઇ મથકે તેમણે જણાવ્યુંજ હતું કે, વિગતવાર સર્વે પછી જેટલી રકમની આવશ્યકતા હશે તેને ભારત સરકાર તત્કાેલ પરિપૂર્ણ કરશે. શ્રી નરેન્દ્રિભાઇ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા પર અને ગુજરાત સરકારની ક્ષમતા પર પૂરો ભરોસો છે. ગુજરાતના લોકો આપત્તિઓનો સામનો કરીને આગળ વધવાનું સારી રીતે જાણે છે. ગુજરાત પર આવી પડેલી આ કુદરતી આપત્તિનો સામનો કરીને તેને અવસરમાં પલટીને ગુજરાતની પ્રજા પ્રગતિ કરશે.  
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રપભાઇ મોદીએ અતિવૃષ્ટિ ને કારણે મૃત્યુ  થયું હોય તેવા કિસ્સાીમાં રાજ્ય સરકાર તરફથી જે સહાય મળે તે ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂા. ૨ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યુંં હતું કે, અતિવૃષ્ટિય-પૂરમાં ઇજાગ્રસ્તો ને રાજ્ય સરકારની સહાય ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂા. ૫૦ હજારની સહાય અપાશે.
રાજ્યના મુખ્યફમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યયમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર વહીવટી તંત્રએ જે સત્વથરે અને સંવેદનશીલતાથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે તે બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમભાઇ મોદીએ ગુજરાતના મુખ્યઅમંત્રી શ્રી વિજય રૂપાણી અને સમગ્ર ટીમને અભિનંદન આપતાં જણાવ્યુંર હતું કે, જે ગતિથી ગુજરાત સરકારે પરિસ્થિીતિ સંભાળી છે તે અભિનંદનને પાત્ર છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીએ જણાવ્યુંે હતું કે, ગત એક અઠવાડિયાથી ગુજરાતના અનેક ભાગોમાં વર્ષાનું તાંડવ ચાલી રહ્યું છે. આજે મેં સ્વયં અહીં આવીને પરિસ્થિથતિનો રીવ્યુગ કર્યો છે અને સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી છે. ભારત સરકારની જે તે એજન્સીવઓ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે તેની સાથે પણ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનું આકલન કર્યું છે. તેમણે જણાવ્યુંી હતું કે, આવતી કાલથી અસરગ્રસ્તત વિસ્તાકરોમાં રાહત બચાવ કામગીરી વધુ તેજ ગતિએ હાથ ધરાશે. આવતી કાલથી ભારતીય વાયુ સેનાના વધુ ૧૦ હેલિકોપ્ટ ર્સ બચાવ કામગીરીમાં જોડાશે.
તેમણે જણાવ્યુંર હતું કે, અતિવૃષ્ટિનના કારણે લોકોના ઘરોમાં-દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, શહેરોમાં અને ગ્રામિણ વિસ્તાહરોમાં ભારે નુકશાન થયું છે. અસરગ્રસ્ત  વિસ્તાણરોમાં થયેલ નુકશાનીના સર્વે માટે ભારત સરકારની શહેરી વિકાસ ટીમના અધિકારીઓ પણ રાજ્ય સરકારની ટીમો સાથે આકલનમાં જોડાશે.

ગ્રામિણ વિસ્તામરોમાં થયેલા નુકશાનીના સર્વે માટે ગ્રામિણ વિકાસ વિભાગમાંથી ટીમો આવશે. અસરગ્રસ્તસ વિસ્તાણરો માટે ટૂંકાગાળાના અને લાંબાગાળાના જે પણ પગલાં લેવાની આવશ્યકતા હશે અને જે પણ મદદની જરૂર હશે તે તમામ તત્કાથલ પહોંચાડવામાં આવશે.

 
શ્રી નરેન્દ્રેભાઇ મોદીએ જણાવ્યુંહ હતું કે, કુદરતી આપત્તિઓ વખતે સૌથી વધુ નુકશાન અને મુશ્કેલીઓ કિસાનોને પડતી હોય છે. ખેડૂતોને થયેલા નુકશાનના આકલન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમણે તત્કાલ રાહત મળે અને તેમને વિમાનો લાભ તાત્કાાલિક આપી શકાય તેવી વ્યોવસ્થાત કરાશે.  

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments