Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર સમાજ સરકાર એક મંચ પર - સુરતમાં ‘કિરણ’ હોસ્પિટલના લોકાર્પણમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે

‘કિરણ’ હોસ્પિટલ
Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2017 (14:02 IST)
આગામી સોમવારે સુરત તબીબી ક્ષેત્રે નવો આયામ સર કરી રહ્યું છે. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે સૌથી અદ્યતન કહેવાતી કિરણ હોસ્પિટલનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી અને પાટીદાર સમાજ વચ્ચે થનારા જાહેર મિલનને પગલે રાજ્યભરમાં ભારે કૌતુક છવાયું છે. સમાજ અને સરકાર ફરી એક વખત એક મંચ ઉપર એકસાથે ઉપસ્થિત થઇ રહ્યાં છે ત્યારે અનેક અટકળો અને ચર્ચાઓ તેજ બની છે. છેલ્લા દોઢેક વર્ષથી રાજ્યમાં પાટીદાર સમાજમાં અસંતોષની જ્વાળા ઊઠી છે.
 
પોતાની માંગણી સંદર્ભે સરકારથી સમાજ ખફા થયો હોવાનું ચિત્ર ઊભું થયું છે. આ અસંતોષની જ્વાળા તબક્કાવાર ઠરી રહી છે. આ હકીકત વચ્ચે ભૂતકાળમાં પાટીદાર સમાજને હોસ્પિટલ બનાવવા જમીન અપાવનારા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જ સોમવારે હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી રહી છે. આ પ્રસંગે પાટીદાર સમાજને એકજૂટ કરવા ૨૦ હજારથી વધુ લોકોને આમંત્રણ અપાયું છે. જોકે, સમાજના રાજ્યસ્તરના કેટલાક અગ્રણીઓને આમંત્રણમાંથી બાકાત રખાયા હોવાનું કહેવાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં રૃપિયા ૫૦૦ કરોડથી વધુના ખર્ચે વર્લ્ડ કલાસ સુવિધા ધરાવતી કિરણ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. જેનું ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી રવિવારે રાતે સુરત આવી રહ્યાં છે. આ પ્રસંગે પી.એમ. મોદીના શાહી સ્વાગતમાં કોઇ કચાશ બાકી નહીં રહે એ માટે હોસ્પિટલના દાતાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા કોઇ કચાશ બાકી રાખવામાં આવી નથી. નાનામાં નાની બાબતો ઉપર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments